એક બાજુ રણ વિસ્તાર અને બીજી બાજુ અરવલ્લી ગીરી માળાઓમાં ઘેરાયેલા બનાસકાંઠા જિલ્લાના અરવલ્લી ગીરી માળામાં આવેલો જેસોર અભ્યારણ જેમાં મોટી સંખ્યામાં રીંછો વસવાટ કરે છે.
બનાસકાંઠામાં આવેલું કાળા રીંછ માટેનું અભયારણ્ય એટલે જેસોર રીંછ અભયારણ્ય
જેસોર અભયારણ્યમાં આવેલું છે કેદારનાથ મહાદેવનું મંદિર
જેસોરમાં ચાલતા ઝરણાઓનો અદભૂત નજારો
બનાસકાંઠા જિલ્લોએ વિસ્તારની દ્રષ્ટિએ બીજા ક્રમે સૌથી મોટો જિલ્લો છે. જેસોર અભયારણ્ય બનાસકાંઠા જિલ્લામાં આવેલું રીંછ માટેનું અભયારણ્ય છે. અહીં રીંછ, નીલ ગાય અને ઝરખ જેવા પ્રાણીઓ જોવા મળે છે.સાથે સાથે ઝેરી સાપો અને વિવિધ પ્રકારના પક્ષીઓ પણ અહીં જોવા મળે છે છેલ્લા બે વર્ષમાં રીંછની સંખ્યામાં પણ વધારો થયો છે. જેસોર અભયારણ્ય અરવલ્લીની જેસોરની ટેકરીઓમાં આવેલું છે. તેનો વિસ્તાર ૧૮૦.૬૬ ચોરસ કિમી છે. આ અભયારણ્યનો વિસ્તાર રણ અને સૂકા જંગલોના પ્રકારની વચ્ચેનો છે અને તે થરના રણને આગળ વધતું અટકાવવામાં મદદ કરે છે. પાલનપુરથી ૪૫ કિમી અને ઇકબાલગઢથી ૮ કિમીના અંતરે આવેલા અમીરગઢ તાલુકાનો વિસ્તાર છે. આ અભયારણ્યમાં કેદારનાથ મહાદેવનું મંદિર આવેલું છે. હજારોની સંખ્યામાં દર્શનો અહીં દર્શનાર્થે આવે છે.
રીંછની સાર સંભાળ માટે વનક્રમીઓ દ્વારા સતત મોનિટરિંગ
રીંછની સાર સંભાળ માટે વનક્રમીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. કોઈ રીંછ જંગલની બહાર જાય તો તેમની રેસ્ક્યુ કરીને ફરી જંગલમાં છોડવાને આખી ટીમ બનાવવામાં આવી છે. જુદી જુદી ઋતુમાં ખોરાક માટે અહીં વ્યવસ્થાપન કરવામાં આવી છે સાથે સાથે અહીં કેદારનાથ મહાદેવના દર્શને આવતા પ્રયત્નો પર આવીને અભ્યારણની મુલાકાત લે છે અહીંનું વાતાવરણ અને કુદરતી સૌંદર્ય જોઈને લોકોના મન મોહી લે છે. વધુમાં આહલાદક વાતાવરણને લઈ પ્રવાસી પણ અહી મોજ પડે છે. સાથે સાથે કેદારનાથ અને જેસોરમાં ચાલતા ઝરણાઓમાં લોકો નાહવાની પણ મજા લેતા હોય છે.
જેસોરમાં ટ્રેકિંગ માંટેનું અનોખુ સ્થળ
બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરથી 45 કિલોમીટર દૂર આવેલા રીંછના અભયારણ્ય તરીકે જાણીતા જેસોરમાં લોકો ટ્રેકિંગ કરવા માટે આવે છે. ગુજરાત રાજ્યમાં જેસોર હિલ્સ સૌથી વધુ ઊંચાઇ પર આવેલું બીજા નંબરનું સ્થળ છે. રાજસ્થાનથી નજીક અને અંબાજી હાઇવેની પાસે આવેલા આ અભયારણ્યના કુદરતી સૌંદર્યને પ્રવાસીઓ માણી શકે છે. અંબાજીના પ્રવાસે જતા અને રાજસ્થાન પર્યટકો પણ અવશ્ય આ જેસોર અભયારણની મુલાકાત લેતા હોય છે અહીં ઈકો- ટુરીઝમ સાઈટનો લહાવો મળશે. ત્યાં આવેલા કેદારનાથ નામના શિવ મંદિરની પણ લોકો મુલાકાત લે છે. જેસોર અમદાવાદથી 4 કલાકના અંતરે આશરે 180 કિલોમીટર દૂર આવેલું છે. ચોમાસા શિયાળાનો સમય આ જેસોર અભયારણ્યની મુલાકાત લેવા માટેનો શ્રેષ્ઠ સમય છે.