14 જૂન 2020ના રોજ બોલીવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે પોતાના બાન્દ્રા સ્થિત અપાર્ટમેન્ટમાં આત્મહત્યા કરી લીધી હતી હવે એ જ ઘરમાં રહેવાની તક તમને મળી શકે છે.
સુશાંત સિંહ રાજપૂતના ઘરમાં રહેવાની તક
2022 સુધી સુશાંત આ ઘરમાં જ રહેવાનો હતો
આ જ મકાનમાં કરી લીધી હતી આત્મહત્યા
સુશાંતની મોત બાદ તેમનુ મકાન ખાલી છે અને ઘરના લોકોએ ધીરે ધીરે સામાન શિફ્ટ કરી દીધો હતો તેવામાં મકાન માટે ભાડુઆતની શોધ ચાલુ છે. હવે તેમે સુશાંતના આ સી વ્યૂ મકાનમાં લગ્ઝૂરીયસ લાઇફ જીવી શકો છો અને ભાડુઆત તરીકે રહી શકો છો.
ભાડુ કરાયુ ઓછુ
સુશાંત સિંહ રાજપૂતનું આ સી વ્યૂ મકાન બાંદ્રામાં આવેલુ છે અને તેનુ ભાડુ પહેલા કરતા ઘટાડી દેવામાં આવ્યુ છે. હવે આ ઘર ચાર લાખ પ્રતિ મહિના માટે ઉપલબ્ધ છે. સુશાંતે ડિસેમ્બર 2019માં 4.5 લાખ રૂપિયા મહિનાના હિરાબે આ અપાર્ટમેન્ટ ભાડે લીધો હતો.
ખાલી છે મકાન
બ્રાન્દ્રા સ્થિત આ મકાન હજુ સુધી ખાલી પડ્યુ છે અને આ મકાનમાં હજુ કોઇ રહેવા આવ્યુ નથી, મહામારીના કારણે લોકો ઇન્ક્વાયરી પણ નથી કરી રહ્યાં. કેટલાક લોકો આવ્યા પરંતુ તેમણે મકાન નહી સુશાંત વિશે પુછપરછ કરી હતી.
આ જ અપાર્ટમેન્ટમાં સુશાંતે કરી હતી આત્મહત્યા
તમને જણાવી દઇએ કે આ જ મકાનમાં સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી હતી. મોન્ટ બ્લોન્કમાં સુશાંતનુ બે માળનું મકાન હતુ. એક્ટરે 36 મહિના માટે આ મકાન ભાડે લીધુ હતુ અને ડિસેમ્બર 2022 સુધી આ જ મકાનમાં રહેવાનુ સુશાંતે મન બનાવી લીધુ હતુ. તેની સાથે આ જ ઘરમાં રિયા ચક્રવર્તી અને સિદ્ધાર્થ પિઠાણી પણ રહેતા હતા સાથે જ નીરજ અને કેશવ નામના બે હાઉસ હેલ્પર પણ રહેતા હતા. 14 જૂન 2020ના રોજ સુશાંતે આ ઘરમાં આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી લીધુ હતુ.