મહેસાણા: દેશની સૌ પ્રથમ અમૂલ ડેરીમાં પર્યાવરણ બચાવવાની અનોખી પહેલ વેસ્ટમાંથી બેસ્ટ હાથ ધરાઈ હતી. અમૂલ ડેરીમાં અમૂલગ્રીન બાયોગેસ પ્લાન્ટ નાંખીને નવતર પ્રયોગ હાથ ધરાયો હતો. જેના લીધે અત્યાર સુધીમાં અમૂલગ્રીનને 3 એવોર્ડ મળ્યા છે. ઉલ્લેખનીય છે કે આ બાયોગેસ પ્લાન્ટ સૌ પ્રથમ અશુદ્ધ પાણીમાં ફેટ ભળેલુ હોય છે તેને શુદ્ધ કરાય છે.
તેમાંથી હાઇડ્રોજન સલ્ફાઇડ કાઢી નાંખીને પ્રક્રિયા હાથ ધરાય છે. તેમાંથી બાયોસીએનજી ગેસ મિથેનવાળો બલૂનમાં ભરવામાં આવે છે. તેમાં પ્રોસેસ કર્યા બાદ બાયોસીએનજી ગેસ ઉત્પન્ન થાય છે. જેને બળતણ સ્વરૂપે વાપરવામાં આવે છે. આ નવા ઇનોવેશન કારણે 300 મેટ્રિકટન કાર્બન ડાયોકસાઇડ હવામાં જતો અટકયો છે અને તેમાંથી નીકળતા પાણીને શુદ્ધ કરીને બગીચામાં વાપરવામાં આવે છે.
આ પ્લાન્ટ બનવાને કારણે પર્યાવરણને ફાયદો થયો છે. અમૂલ ડેરીએ વેસ્ટમાંથી બેસ્ટ મુજબ હવામાં બાળી નંખાતા ગેસને બાયોસીએનજી બનાવીને નવ લાખ ક્યુબિક ગેસ ઉત્પન્ન કર્યો છે. જેના લીધે બે વર્ષમાં 4.64 કરોડનો ફાયદો થયો છે. આ મોડલનો રાજ્યની અન્ય ડેરીઓમાં અમલ કરવા માટેની વિચારણા ચાલી રહી છે.
આપને જણાવી દઇએ કે આ અમૂલગ્રીન બાયોગેસ પ્લાન્ટને ત્રણ એવોર્ડ મળ્યાં છે અમૂલ ગ્રીન બાયોગેસ પ્લાન્ટને સૌ પ્રથમ ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ તરફથી કેન્દ્રીયમંત્રી મેનકા ગાંધીના હસ્તે એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ તાજેતરમાં એનડીડીબીમાં કેન્દ્રીય કૃષિમંત્રી પુરુષોતમ રૂપાલાના હસ્તે ઇનોવેટીવ ઓર્ગેનાઇઝેશન એવોર્ડ મળ્યો હતો. વિશ્વ પર્યાવરણ દિને ગાંધીનગરમાં મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે ગુજરાત કલીનર પ્રોડકશન એવોર્ડ મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે પાણી મામેલ સમગ્ર વિશ્વભરમાં પોકાર સાંભળવા મળી રહી છે અને પાણી બચાવોના અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે મહેસાણા ખાતે આવેલ અમૂલ ડેરી દ્વારા તાજેતરમાં પ્લાન્ટ નાંખવામાં આવ્યો છે તેના દ્વારા અશુદ્ધ જળને પીવા લાયક જળમાં પરિવર્તીત કરવામાં આવશે. અમૂલ ડેરીની આ પહેલને વિશ્વભરના લોકોએ વખાણી છે.