સંયુક્ત રાષ્ટ્રસંઘના ચીફ એન્ટોનિયો ગુટરેસે કોરોના મહામારીને લઈને એક ગંભીર ચેતવણી આપી છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘના ચીફની ગંભીર ચેતવણી
કોરોના મહામારી પૂરી થઈ એવુ માનવું ગંભીર ભૂલ
કોરોના મહામારીને બે વર્ષ પૂરા થયા
કોરોના મહામારીને બે વર્ષ પૂર્ણ થયા છે. લોકોના મનમાંથી પણ કોરોનાનો ખૌફ જતો રહ્યો છે અને લોકો પહેલાની જેમ જીવન વીતાવવા લાગ્યા છે ત્યારે હવે સંયુક્ત રાષ્ટ્રસંઘના વડાએ કોરોના મહામારીને લઈને એક ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે.
30 લાખ લોકો હજુ પણ કોરોના વેક્સિનના પહેલા ડોઝની પ્રતિક્ષામાં
સંયુક્ત રાષ્ટ્રસંઘના ચીફ એન્ટોનિયો ગુટરેસે બુધવારે ચેતવણી આપી કે કોરોના મહામારી પૂરી થઈ છે તેવું માનવું ગંભીર ભૂલ હશે. તેમણે કહ્યું કે દુનિયામાં 30 લાખ લોકો હજુ પણ કોરોના વેક્સિનના પહેલા ડોઝની પ્રતિક્ષામાં છે.
Ukrainian officials say a Russian strike hit a children's hospital and maternity facility in the port city of Mariupol, reports AP
કોરોના વાયરસે દુનિયાભરના લોકોનું જીવન નર્કાગાર બનાવ્યું
ગુટરેસે કહ્યું કે બે વર્ષ પહેલા દુનિયાભરના લોકોનું જીવન કોરોનાએ વાયરસે નર્કાગાર બનાવ્યું હતું. કોરોના ઝડપથી દુનિયામાં ફેલાયો હતો અને ત્યાર બાદ દુનિયાના ખુણેખાંચરે ફેલાઈ ગયો હતો, આને કારણે દુનિયાની ઈકોનોમી તબાહ થઈ, સ્કૂલો બંધ રહી, લોકોનો પોતાનાથી વિખૂટા રહેવાનો વારો આવ્યો, લાખો લોકો ગરીબી અને ભૂમખરામાં ધકેલાયા હતા.
દુનિયામાં મહામારી કન્ટ્રોલમાં પણ પૂરી થઈ નથી
તેમણે કહ્યું કે જાહેર હેલ્થ સેક્ટરમાં અભૂતપૂર્વ પગલાં અને ઝડપી ગતિએ વેક્સિન આવી જતા દુનિયાના ઘણા વિસ્તારોમાં મહામારી કાબૂમાં આવી હતી તેમ છતાં પણ મહામારી પૂરી થઈ છે તેવું માનવું ગંભીર ભૂલ ગણાશે.
કોરોના મહામારીને 2 વર્ષ પૂરા થયા
કોરોના મહામારીને આજે 2 વર્ષ પુરા થયા છે અને આ અવસરે યુએન ચીફે દુનિયાને ગંભીર ચેતવણી આપી છે.