વર્તમાનમાં કોરોના વાયરસના કારણે દેશમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આર્થિક ભીંસનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં નોકરી કરતા લોકો માટે સરકાર મોટી રાહત આપી શકે છે. ગ્રેચ્યુટીના નાણા હવે 5 વર્ષની જગ્યાએ એક જ વર્ષમાં મળી શકે છે. આ મહીને સંસદ સમિતિ એક રિપોર્ટ રજૂ કરી શકે છે.
એક વર્ષમાં મળી શકશે ગ્રેચ્યુટીના નાણા !
લેબર કોડમાં મોટી રાહત આપી શકે છે સરકાર
આ સિવાય અન્ય સામાજિક સુરક્ષા એપ લોન્ચ કરશે સરકાર
નોકરિયાતોને સરકાર આપશે રાહત
નોકરી કરતા લોકોને સૌથી મોટી ખુશખબર આપી શકે છે સરકાર. ગ્રેચ્યુટી માટે 5 વર્ષની શરત હવે સમાપ્ત થઇ શકે છે. આ સિવાય ફિક્સ ટર્મ પર કામ કરતા કર્મચારીઓને પણ ગ્રેચ્યુટી મળશે. આ મુદ્દે લેબર રિફોર્મને સરકાર મંજૂરી આપી શકે છે. ગ્રેચ્યુટીમાં 5 વર્ષ કામ કરવું જરૂરી નહી રહે. સરકાર મંજૂરી આપે તો ગ્રેચ્યુટી મેળવવા માટે એક વર્ષ સુધી કામ કરવું આવશ્યક રહેશે. આ સિવાય હવે જેટલા દિવસ કામ તેટલા દિવસની ગ્રેચ્યુટીને મંજૂરી આપવામાં આવી શકે છે. સંસદની એક સમિતિ આ મહીને જ પોતાની રિપોર્ટ સોંપી શકે છે. જે બાદ સરકાર લેબર કોડ પર સંસદની મંજૂરી લઇને નોકરી કરતા લોકોને રાહત આપી શકે છે.
વર્તમાનમાં કોઈ પણ કંપનીમાં પાંચ વર્ષ પૂરાં થયા બાદ જ કર્મચારી ગ્રેચ્યુટી માટે હકદાર બની શકે છે. જો કોઈ કર્મચારી 5 વર્ષ પહેલાં નોકરી છોડી દે તો ગ્રેચ્યુટીના એક પણ રૂપિયા આપી શકતા નથી. જોકે 5 વર્ષ પહેલાં જ કર્મચારીનું મોત થાય તો તે નાણા પરિવારને આપી શકાય છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા લેબર કોડ વિશે અન્ય કેટલીક ભલામણો વિશે જાણકારી આપવામાં આવી. કર્મચારીઓ માટે સામાજિક સુરક્ષા એપ લોન્ચ કરવામાં આવશે, તથા છટણી કરવામાં આવેલ કર્મચારીઓ માટે રિ-સ્કિલિંગ ફંડ પણ લાવવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે દરેક પ્રકારના વ્યવસાયને મહિલાઓ માટે ખોલવામાં આવશે. આ સિવાય અસંગઠિત કર્મચારીઓ માટે સામાજિક સુરક્ષા ફંડનની ભલામણ કરવામાં આવશે. વર્તમાનમાં ન્યૂનતમ વેતન માત્ર 30 ટકા કર્મચારીઓ પર લાગુ પડે છે પરંતુ હવે સરકાર ન્યૂનતમ વેતન અધિકાર અને સમયસર વેતનનો અધિકાર દરેક કર્મચારીઓને આપશે.