ગરમીની સીઝનમાં દ્રાક્ષ તમને ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. પાણીથી ભરપૂર આ ફ્રૂટ તમને અનેક પ્રકારના સ્વાસ્થ્ય લાભ મળે છે.
ગરમીમાં ખાઈ લો આ ફ્રૂટ
દ્રાક્ષમાં હોય છે ખૂબ જ વધારે પાણી
આ તત્વોથી ભરપૂર છે દ્રાક્ષ
દ્રાક્ષના નાના નાના દાણામાં પોલી-ફેનોલિક ફાઈટોકેમિકલ કમ્પાઉન્ડ આવે છે. તે એન્ટી ઓક્સડન્સથી ભરપૂર હોવાની સાથે શરીરને ફક્ત કેન્સર નહીં પણ કોરોનરી હાર્ટ ડિસિઝ, નર્વ ડિસિઝ, અલ્ઝાઈમર અને વાયરલ તથા ફંગલ ઈન્ફેક્શન સામે લડવાની ક્ષમતા પ્રદાન કરે છે.
દ્રાક્ષમાં સીમિત પ્રમાણમાં કેલેરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ, સોડિયમ, ફાઈબર, વિટામીન એ, સી, ઈ અને કે, કેલ્શિયમ, કોપર, મેગ્નેશિયમ, મેંગેનીઝ, ઝિંક અને આયર્ન પણ મળે છે.
શરીરના કોઈ પણ ભાગથી લોહી વહેતું હોય તો દ્રાક્ષના 1 ગ્લાસ જ્યૂસમાં 2 ચમચી મધ મિક્સ કરીને પીવાથી લોહીની ખામીને પૂરું કરી શકાય છે. તેનાથી લોહીના સ્ત્રાવને સમયે થયેલું નુકસાન ભરપાઈ થઈ શકે છે.
દ્રાક્ષનો પલ્પ ગ્લૂકોઝ અને શર્કરાથી ભરપૂર હોય છે. વિટામિન એ પૂરતા પ્રમાણમાં હોવાથી દ્રાક્ષનું સેવન ભૂખ વધારે છે. પાચન શક્તિ સારી રાખે છે. આંખો, વાળ અને સ્કીનને ચમકદાર બનાવે છે.
હાર્ટ એટેકથી બચવા માટે કાળી દ્રાક્ષનું સેવન કરવું. તેનો રસ એસ્પ્રિનની ગોળી સમાન છે. એસ્પ્રિન લોહીના ગટ્ઠા જામવા દેતી નથી. કાળી દ્રાક્ષનો જ્યૂસ જેમાં ફ્લેવોનાઈડ્સ નામનું તત્વ હોય છે અને આ પણ તે કામ કરે છે.
દ્રાક્ષ ફોલ્લીઓ અને ખીલને સૂકવવામાં મદદ કરે છે. દ્રાક્ષના રસના કોગળા કરવાથી મોઢાના ઘા અને ચાંદામાં રાહત મળે છે.
એનિમિયાના માટે દ્રાક્ષથી વધીને કોઈ દવા નથી. ઉલ્ટી આવે કે જીવ મિચલાવવાની સ્થિતિમાં દ્રાક્ષના રસમાં મીઠું અને કાળા મરી નાંખીને તેનું સેવન કરો.
પેટની ગરમીને શાંત કરવા માટે 20-25 દ્રાક્ષને રાત ભર પાણીમાં પલાળીને રાખો અને સવારે તેને નીચોવી લો. આ રસમાં થોડી ખાંડ મિક્સ કરો અને તેનું સેવન કરો.
ભોજન બાદ અડધા કલાક બાદ દ્રાક્ષનો રસ પીવાથી લોહી વધે છે. થોડા દિવસમાં પેટ ફૂલવું અને કબજિયાતની બીમારીથી છૂટકારો મળે છે.
દ્રાક્ષના રસના સેવનથી માઈગ્રેનથી પણ રાહત મળે છે. એટલું જ નહીં તેને ફેસ પર લગાવવાથી કરચલીઓ પણ ઘટે છે. તે સ્કીન પર ગ્લો લાવવામાં પણ મદદ કરે છે.