2018માં 11 લોકોએ સામૂહિક આત્મહત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો હતો. જેમાં લલિતે દરેકને ઇન્ફ્લ્યુએન્સ કર્યા છે તેવી વાત સામે આવી હતી, બસ આવો જ એક કિસ્સો 2021માં પણ સામે આવ્યો છે.
બુરાડી કેસ જેવી ઘટના આવી સામે
દાદા રાક્ષસ હોવાનો કર્યો દાવો
ભગવાને કહ્યું છે એટલે મારી નાંખ્યા
અમેરિકાની છે ઘટના
અમેરિકામાં 21 વર્ષના યુવક પર પોતાના 81 વર્ષના દાદાને મારી નાંખવાનો આરોપ લાગ્યો છે. યુવકે પોતાના દાદાનું માથુ કુહાડી વડે કાપી નાંખ્યું હતું. હત્યા બાદ યુવકે પોતાના દાદાને રાક્ષસ કહ્યો હતો.
કેમ કરી હત્યા?
યુવકને જ્યારે પૂછવામાં આવ્યું કે તે શા કારણે દાદાની હત્યા કરી તો તેણે કહ્યું કે દાદા રાક્ષસ હતા અને મને ભગવાને આવું કરવા માટે કહ્યું હતું. આ મર્ડર બાદ યુવકને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
યુવકે કુહાડીથી કરી હત્યા
પોલીસના જણાવ્યા અનુસાર 19 ઓક્ટોબરે તેમને એક ફોન આવ્યો અને તે જ્યારે ઘટનાસ્થળ પહોંચ્યા તો જોયું કે એક વૃદ્ધની લાશ પડી છે અને લાશ પાસે એક કુહાડી પડી છે. પોલીસને આ ફોન યુવકના પિતાએ જ કર્યો હતો. પોલીસે જ્યારે પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે, દાદા રાક્ષસ હતા અને મને ભગવાને આવું કરવા માટે કહ્યું હતું.
પહેલા પણ આપી ચૂક્યો છે ધમકી
ઉલ્લેખનીય છે કે 19 ઓક્ટોબરે આ ઘાતક હુમલા પહેલા તેણે પોતાના રૂમમેટને પણ કુહાડીથી ધમકાવ્યો હતો. તે વખતે પણ કેમ્પસ પોલીસે હથિયારને જપ્ત કરી લીધું હતું બાદમાં તે નવી કુહાડી લઇ આવ્યો હતો અને દાદાની હત્યા કરીને ઘટનાને અંજામ આપ્યો હતો.
બુરાડી કેસમાં પણ આવું જ થયું હતું
મહત્વનું છે કે દિલ્હીના બુરાડી કેસમાં પણ લલિત નામના શખ્સે 11 લોકોને વડ પૂજા માટે કન્વિન્સ કર્યા હતા. આ પૂજામાં ગળામાં દુપટ્ટો, મોઢુ, હાથ, પગ, આંખો બાંધીને મંત્રજાપ કરવાનો હતો. લલિતના સ્વર્ગીય પિતા આ મંત્રજાપથી ખુશ થઇને બધાને બચાવવા આવી જશે તે વિશ્વાસ સાથે 11 લોકોએ વડપૂજા કરી હતી અને આખરે તે 11 લોકો મોતને ભેટ્યા હતા. તેમાં 70 વર્ષના વૃદ્ધાથી લઇને 14 વર્ષનો બાળક પણ સામેલ હતો.