AAPના આગેવાનોએ બંને મુખ્યમંત્રીઑનું એરપોર્ટ કર્યું સ્વાગત કર્યું હતું, આજે સવારે ગાંધીઆશ્રમે ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કરશે, સાંજે રોડ શો
દિલ્લીના CM અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે
પંજાબના CM ભગવંત માન પણ આવ્યા ગુજરાત
આજે અમદાવાદ પૂર્વમાં તિરંગા યાત્રામાં ભાગ લેશે
દિલ્લીના CM તેમજ AAPના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માન આજે ગુજરાતના પ્રવાસે છે. બંને નેતાઓ 2 દિવસની ગુજરાત મુલાકાતના પ્રથમ દિવસે આજે અમદાવાદ પૂર્વમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે શુક્રવાર મોડી રાત્રે બંને મુખ્યમંત્રીઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાં ગુજરાત આપના નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) April 1, 2022
1.5 કિલોમીટર સુધીનો રોડ શો
વહેલી ચૂંટણી થવાની શક્યતાઓ વચ્ચે રાજકીય માહોલ જામ્યો છે. તેમજ કેન્દ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ પણ વધ્યા છે. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 2 અને 3 એપ્રિલ એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. તેઓ આજે 2 એપ્રિલના રોજ બપોરે 3 વાગ્યે અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં રોડ શો કરશે . અમદાવાદમાં AAPની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમનો નિકોલથી બાપુનગર સુધી AAPનો રોડ શો યોજાશે. અમદાવાદમાં 1.5 કિલોમીટર સુધીનો રોડ શો યોજાશે.
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) April 1, 2022
કાર્યક્રમનો શિડ્યુઅલ
આજે સવારે તેઓ ગાંધીઆશ્રમ ખાતે જશે, જ્યાં ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કરશે. ત્યાર બાદ સાંજે 4 વાગ્યે તેઓ નિકોલ ખાતે રોડ શો કરશે. આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ સહિત અંદાજે 50 હજાર લોકો હાજર રહેશે. બીજા દિવસે 3 એપ્રિલના રોજ સવારે 10 વાગ્યે શાહીબાગ સ્વામિનારાયણ મંદિર જશે. ત્યાર બાદ તેઓ રાજકીય, સામાજિક આગેવાનો અને પાર્ટીના આગેવાનો સાથે ચૂંટણીને લઈને ચર્ચા કરશે. સાંજે 6 વાગ્યે તેઓ દિલ્હી જવા રવાના થશે. તાજેતરમાં જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. આ હુમલાને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં તેમના પર હુમલો ન થાય એને ધ્યાનમાં રાખીને રોડ-શો તથા ગુજરાતની મુલાકાત દરમિયાન તેમની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવા આજે ગુજરાત આમ આદમી પાર્ટીના નેતાઓ પોલીસ કમિશનર જાણ કરી છે.