હર હર મહાદેવના નાદ સાથે ભીમનાથ મહાદેવ મંદિર ગુંજી ઉઠ્યું, હજારોની સંખ્યામાં ભાવિકો દર્શને ઉમટ્યા
આજે મહાશિવરાત્રીનો મહાપર્વ
બોટાદમાં ભીમનાથ મહાદેવ મંદિરે ઉજવણી
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર
બરવાળા તાલુકાના ભીમનાથ ગામ ખાતે આવેલ પૌરાણીક પ્રાચીન પાંડવકાલીન ભીમનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીના પાવન પર્વને લઈ ભવ્યાતી ભવ્ય ઉજવણી કરી અનેક વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં ભાવિક ભકતો અહી દર્શનાર્થે ઉમટી પડયા, લોકમેળા જેવું દ્રશ્યો મહાશિવરાત્રીના અહીં જોવા મળ્યા હતા
પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન ભીમનાથ મહાદેવની કરી હતી સ્થાપના તેવી લોકવાયકા
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ભીમનાથ ગામ ખાતે આવેલું છે પ્રાચીન પૌરાણીક પ્રાચીન પાંડવકાલીન ભીમનાથ મહાદેવ મંદિર કે જ્યાં પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન ભીમનાથ મહાદેવની કરી હતી સ્થાપના આશરે 1600 વર્ષ થી પણ વધારે પૌરાનું છે આ મંદિર જ્યાં પંથકના લોકો સહિત રાજ્યના અલગઅલગ જિલ્લાઓ તેમજ દેશના અલગઅલગ રાજ્યોના ભાવિક ભક્તોનું અતિ ધાર્મિક શ્રદ્ધાનું મહત્ત્વનું સ્થાન હોવાથી મોટી સંખ્યામાં અહી ભાવિકો દર્શનાર્થે આવતા હોય છે ત્યારે મહાશિવરાત્રી પર્વની અહી વિશેષ અને અનોખી ઉજવણી કરાઇ છે આ પાવન દિવસે મોટી સંખ્યમાં ભાવિકો દર્શને આવ્યા હતા. માનવ મહેરામણ શિવ ભક્તિમાં લીન થઇ ગયું હતું.
225 મણ ફરાળ પ્રસાદનું કરાયું આયોજન
મંદિરના પાટોત્સવ ઉજવણી કરાય તેમજ 11 કુંડી હોમાત્મક મહા રુદ્રયજ્ઞ યોજાયો જેમાં 25 જોડા પાટલાના યજમાનો યજ્ઞ આહુતિ આપી તેમજ સવારે 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી ભવ્ય સવા બસો મણના ફરાળ પ્રસાદનુ આયોજન કરાયું હતું જેમાં 100 મણ સિંગપાક 25 મણ ફરાળી ચેવડો અને 100 મણ સુકીભાજીના ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરાયું હતું, સવારે સમગ્ર શહેરમાં 52 ગજની ધજા ની વાજતે ગાજતે નગર યાત્રા કાઢવામાં આવી અને ત્યાર બાદ મંદિરના મુખ્ય સ્તંભ પર 52 ગજની ધજા ચઢાવવામાં આવી ત્યારે આ ભવ્ય મહાશિવરાત્રી ઉજવણી મા મોટી સંખ્યામાં ભાવિકો દર્શને ઉમટયા.
2 વર્ષ બાદ ભવ્ય ઉજવણી
કોરોનાના કપરા કાળ ના કારણે ગત 2 વર્ષથી સરકારના નિયમ મુજબ ગણતરીના લોકો દ્વારા શિવરાત્રી પર્વ ઉજવવતો હર્તો જ્યારે આ વર્ષ કોરોના કેસો માં ઘટાડો નોંધાતા તેમજ સરકાર દ્વારા થોડી છુંટછાટ આપતા શ્રી ભીમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર્વ ની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરાયું છે જેમાં દેશ વિદેશ ના હજારો ભાવિક ભકતો દર્શને ઉમટી પડ્યા.પાંડવ કાલીન પૌરાણિક પ્રાચીન શ્રી ભીમનાથ મંદિર ખાતે આગામી આજરોજ તારીખ 1 માર્ચ 2022 ને મંગળવારના રોજ પવિત્ર મહાશિવરાત્રી ની ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઈ , જેમાં અનેકવિધ કાર્યક્રમો નું આયોજન કરાયું હતું