રાજ્યમાં 8,684 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ માટે ગઈ કાલે ચૂંટણી યોજાઈ જેનું મતદાન પૂર્ણ શાંતિ પૂર્ણ માહોલમાં પૂર્ણ થયું તો ક્યાંક નાની મોટી ઘટનાઓ પણ બની હતી.
કેટલીક ગ્રામ પંચાયતમાં હોબાળા અને હુમલાની ઘટનાઓ બની
મતદારોએ અસામાન્ય સ્થિતિમાં પણ મતાધિકારનો ઉપયોગ કર્યો
રાજ્યમાં 8,684 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ માટે ગઈ કાલે ચૂંટણી યોજાઈ જેનું મતદાન પૂર્ણ શાંતિ પૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું, આ ચૂંટણીઓનું પરિણામ 21 ડિસેમ્બરે જાહેર થનાર છે. ત્યારે જો રાજ્યમાં સરેરાશ જો મતદાનની ટકાવારીની વાત કરવામાં આવે તો રાજ્યમાં કુલ 74.70 ટકા જેટલું સરેરાશ મતદાન થયું છે. જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં સરેરાશ 75.1 ટકા મતદાન છે. દક્ષિણ ગુજરાતમાં 57 ટકા મતદાન થયું છે, તો સૌરાષ્ટ્રમાં સરેરાશ 70 ટકા જયારે કચ્છમાં 73.98 ટકા મતદાન જ્યારે મધ્ય ગુજરાતમાં 58 ટકા મતદાન થયું છે. સરપંચ પદ માટે 27 હજાર 200 ઉમેદવારો અને 53 હજાર 507 સભ્ય પદ માટે 1 લાખ 19 હજાર 998 ઉમેદવારોનું ભાવી મતપેટીમાં સીલ છે.જ્યારે 1167 ગ્રામ પંચાયતો સંપૂર્ણ રીતે બિનહરીફ જાહેર કરવામાં આવી છે.
ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે થઇ રહેલા મતદાનમાં ક્યાંક નાના મોટા વિવાદ અને ઘર્ષણ પણ થયા હતા.. તો ક્યાંક આચારસંહિતાનો ભંગની ફરિયાદ પણ નોંધાઈ હતી. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે પોલીસ અધિકારીઓ પોલીસ જવાનો અને હોમગાર્ડ સહિતના સ્ટાફ ખડેપગે રહ્યો હતો.. જ્યારે અતિસંવેદનશીલ મતદાન કેન્દ્રો પર પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
મતદાર અને કોન્સ્ટેબલ વચ્ચે છુટ્ટાહાથની મારામારી
રાજકોટના વીરપુરમાં મતદાન કરવા આવેલો એક મતદાર અંદર મોબાઇલ લઈ જવાની જીદ કરી રહ્યો હતો. પરંતુ ફરજ પર હાજર કોન્સ્ટેબલે તેણે રોકતા ઉગ્ર બની ગયો હતો. થોડી બોલાચાલી બાદ મતદાર અને કોન્સ્ટેબલ વચ્ચે છુટ્ટાહાથની મારામારી થઈ હતી. સમગ્ર મામલે મતદાર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની પોલીસને ફરજ પડી હતી.
મોડોસમાં ગ્રામપંચાયતની ચૂંટણીમાં બબાલ
અરવલ્લીના મોડોસમાં ગ્રામપંચાયતની ચૂંટણીમાં બબાલ સામે આવી હતી બડોદરમાં ચૂંટણી પ્રક્રિયામાં સિક્કા ન વાગતા હોવાની ફરિયાદ ઉઠતા બબાલ થઈ હતી. ઉમેદવાર-સમર્થકોની રજૂઆત ન સાંભળ્યાનો ગ્રામજનો આક્ષેપ કર્યો તો ગ્રામજનોનું ટોળું મોટુ હોવાથી વધુ પોલીસ બોલાવવા ફરજ પડી હતી જેમાં પોલીસે બળપ્રયોગ કરી લાઠીચાર્જ કર્યા હોવાનો સ્થાનિકો આક્ષેપ કર્યો હતો.
નર્મદાના ડેડિયાપાડામાં ચૂંટણી દરમિયાન મારામારી
નર્મદાના ડેડિયાપાડામાં ચૂંટણી દરમિયાન મારામારી સર્જાઈ હતી. બોગજ ગામે 2 રાજકીય પક્ષના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા હતા. જેમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. BTPના કાર્યકર્તા ચૈતર વસાવાએ હુમલો કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યારે સાંસદ મનસુખ વસાવાએ બોગજ ગામની મુલાકાત લીધી હતી અને તંત્રને યોગ્ય કાર્યવાહી માટે કહ્યું હતું, જો તંત્ર યોગ્ય કાર્યવાહી ન કરે તો સાંસદ મનસુખ વસાવાએ ધરણાની ચિમકી ઉચ્ચારી હતી.
રિણાવાડા ગામે ચૂંટણી અધિકારીએ કરી મોટી ભૂલ
પોરબંદર ગ્રામ પંચાયત ચૂંટણીમાં ગોટાળો થયો હોવાનું બહાર આવ્યું છે.પોરબંદરનાં રિણાવાડા ગામે ચૂંટણી પ્રક્રિયામાં પ્રિસાઈડિંગ અધીકારીની ભૂલ થઇ હોવાના કારણે એક વોર્ડના બેલેટ પેપર અન્ય વોર્ડમાં ઇસ્યુ કર્યાનું ખુલ્યુ છે. આ ભૂલ ત્યારે સામે આવી જ્યારે સાંજે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઇ ચુકી હતી. એક જગ્યાના બદલે અન્ય જગ્યાનાં બેલેટ પેપર અપાયાની ભૂલ ધ્યાને આવતા આવતા ચૂંટણી અધિકારીઓ દોડતા થયા હતા.આ પરિણામે, ગ્રામજનોએ તમામ વોર્ડની ચૂંટણી ફરી યોજવાની કરી માંગ કરી છે.
રાજ્યમાં 5 જગ્યાએ મારામારીના બનાવ
રાજ્યમાં ગ્રામપંચાયતની ચૂંટણીને લઈને મતદાન ચાલી રહ્યું હતું ત્યારે કેટલાત સ્થળોએ મારામારીની ઘટના સામે આવી હતી.વડોદરાના સાવલીના કચરિયા ગામે યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં યુવકેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જેતપુર વીરપુરમાં મતદારને માર મારવાનો મામલો સામે આવ્યો હતો.મતદારને પોલીસ સ્ટેશનમાં માર માર્યાનો આક્ષેપ તેના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો. ત્યારે SP બલરામ મીણાએ ઘટના સ્થળે પહોંચીને કોન્સ્ટેબલનું વર્તન અયોગ્ય હોવાનું કહ્યું હતુ. નર્મદાનર્મદાના ડેડિયાપાડામાં ચૂંટણીમાં રાજકીય પાર્ટીના કાર્યકરો બબાલ થઈ હતી. સાંસદ મનસુખ વસાવાએ તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા સૂચન કર્યું હતુ.તો જૂનાગઢમાં ગ્રામપંચાયતની ચૂંટણી લોહિયાળ બની હતી.માળીયા હાટીના પિખોર ગામે મતદાનમાં મારામારીમાં બે થી ત્રણ લોકોને થઇ ઇજા થઈ હતી.ઇજાગ્રસ્તોને માળીયા સિવિલ હોસ્પિટલમાં કરાયા દાખલ કરાયા હતા.તો ભરૂચમાં ચૂંટણીની અદાવતમાં બે પક્ષ વચ્ચે મારામારીમાં 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.