બેસન એક એવી વસ્તુ છે, જેનો ઉપયોગ દેશમાં વધારે કરવામાં આવે છે, આપણામાંથી કદાચ જ કોઈ એવુ હશે જે પકોડાનુ શોખીન નહીં હોય. બેસનના ચણામાંથી બનાવવામાં આવે છે, જે એક પ્રકારની દાળ છે અને પ્રોટીનનો રિચ સોર્સ છે. પરંતુ શું તમે જાણો છો કે બેસનની મદદથી ડાયાબિટીસના દર્દીઓનુ આરોગ્ય સારું કરી શકાય છે.
બેસનની મદદથી ડાયાબિટીસના દર્દીઓનુ આરોગ્ય થઇ શકે સારું
બેસનની રોટલીમાંથી શરીરને અનેક પ્રકારના ન્યુટ્રીએન્ટ્સ મળશે
ડાયાબિટીસના દર્દી ખાય બેસનની રોટલી
ડાયાબિટીસના દર્દીઓને આ વાત પર ધ્યાન આપવુ પડે છે કે તેની ખાવાની ટેવ કેવી છે, જો આરોગ્યપ્રદ ભોજન નહીં ખાય તો તેનુ બ્લડ શુગર લેવલ કંટ્રોલની બહાર જતુ રહેશે. એવામાં ડાયાબિટીસનો દર્દી જો બેસનની રોટલી ખાશે તો તેનુ આરોગ્ય સારું રહેશે.
બેસનમાં મળતા ન્યુટ્રીએન્ટ્સ
બેસનમાંથી તૈયાર રોટલીઓ ખાશો તો તેનાથી શરીરને અનેક પ્રકારના ન્યુટ્રીએન્ટ્સ મળશે. જેનાથી ડાયાબિટીસ સાથે જોડાયેલી અનેક પરેશાનીઓ આવશે નહીં. કારણકે તેમાં સામાન્ય લોટની સરખામણીએ ખૂબ ઓછી કેલેરી હોય છે. આ ઉપરાંત બેસનમાં પોટેશિયમ, મેગ્નિઝ, કૉપર, જિન્ક, વિટામિન બી 6 અને થાઇમિન, ફાઈબર, આયરન, ફૉસ્ફોરસ, મેગ્નેશિયમ અને ફોલેટ જેવા પોષક તત્વ ભરપૂર માત્રામાં મળે છે.
ડાયાબિટીસમાં કેમ ફાયદાકારક છે બેસન?
બેસનમાં ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ખૂબ જ ઓછુ હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે લાભકારક છે. તેથી અનેક આરોગ્ય નિષ્ણાંત આ દર્દીઓને બેસનની રોટલી ખાવાની સલાહ આપે છે.
આ વાતનું રાખો ખાસ ધ્યાન
આ વાતમાં કોઈ શંકા નથી કે બેસન ડાયાબિટીસના દર્દીઓ માટે ખાવાનું એક સારું ઑપ્શન છે, પરંતુ તેની રોટલી ખાવો. જો તમે બેસનમાંથી તૈયાર પકોડા અને પરોઠા ખાશો તો તેમાં રહેલ હાઈ ઑઈલ કન્ટેન્ટ બેડ કોલેસ્ટ્રોલનુ લેવલ વધારી દેશે. જેનાથી હાર્ટની અનેક બિમારીઓનું જોખમ ઉભુ થશે.