સરકાર દ્વારા ગરીબોને અપાતા સસ્તા અનાજને પલટી બજારમાં વેચી દેવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેમાં પોલીસે ડ્રાઇવર અને ટેમ્પાે માિલકની ધરપકડ કરી છે. સસ્તા અનાજની દુકાનમાં સરકારી બારદાનમાં ભરેલા અનાજને કોઇ પણ લખાણ વગરના બારદાનમાં ભરી ફ્લોર િમલના માિલકોને બારાેબાર વેચી દેવાનું કૌભાંડ ચાલતું હતું. પોલીસને ટેમ્પાેમાંથી સરકારી લખાણ ધરાવતાં ૭૦ ખાલી બારદાન મળી આવતાં સમગ્ર મામલો સામે આવ્યો છે.
દાણીલીમડા પોલીસને બાતમી મળી હતી કે સરકારી અનાજ એક ટેમ્પાેમાં ભરી બારોબાર ફ્લોર મિલમાં સગેવગે કરવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. બાતમીના આધારે દાણીલીમડા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ વોચમાં હતા ત્યારે એક ટેમ્પો બહેરામપુરાથી પસાર થયો હતો. ટેમ્પાેને રોકી પોલીસે તપાસ કરી તો તેમાં અનાજની બોરીઓ ભરી હતી. પોલીસે ડ્રાઇવર અરુણ શર્મા તેમજ તેની સાથે રાજકુમાર ગુપ્તાની અટકાયત કરી અનાજની બોરી અંગેનાં િબલ માગ્યાં હતાં.
સરકારી અનાજ લખાણવાળાં ૭૦ ખાલી બારદાન મળી આવ્યાં
બંને જણાએ િબલ નહીં આપતાં પોલીસને શંકા ગઇ હતી, જેથી તેમણે અન્ન પુરવઠા વિભાગના અધિકારીઓને બોલાવી લીધા હતા. પોલીસને ટેમ્પાેમાંથી લખાણ વગરનાં કોરા બારદાનમાંથી ૩પ૦૦ કિલો ઘઉંં મળી આવ્યા હતા, સાથોસાથ સરકારી અનાજ લખાણવાળાં ૭૦ ખાલી બારદાન મળી આવ્યાં હતાં. પોલીસને શંકા ગઇ હતી કે સરકારી લખાણવાળાં બારદાનમાંથી લખાણ વગરનાં બારદાનમાં અનાજ ભરી ફ્લોર મિલમાં બારોબાર સગેવગે થઇ રહ્યું હતું.
આ અનાજ સરકારી હોવાનો દાવો
પુરવઠા વિભાગના અધિકારીઓ પણ ઘટનાસ્થળે આવી જતાં તેમણે આ અનાજ સરકારી હોવાનો દાવો કર્યો હતો, જેથી પોલીસે બંને જણાની આગવી સ્ટાઇલથી પૂછપરછ કરી તો તેમણે કબૂલાત કરી હતી કે બહેરામપુરામાં આવેલી ન્યૂ પ્રકાશ ગ્રાહક સરકારી ભંડાર નામની દુકાનમાંથી અનાજનો જથ્થો લાવ્યા છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર દુકાન માિલક રાજેન્દ્રસિંહ રાજપૂત છે, જે રૂપિયાની લાલચમાં રાજકુમાર ગુપ્તાને અનાજ આપતો હતો.
અનાજ કાઢી કોઇ પણ પ્રકારના લખાણ વગરના બારદાનમાં ભરતો હતો
રાજકુમાર ગુપ્તા તેના માણસો દ્વારા સરકારી અનાજની દુકાનમાં બંધબારણે સરકારી લખાણવાળાં બારદાનમાંથી અનાજ કાઢી કોઇ પણ પ્રકારના લખાણ વગરના બારદાનમાં ભરતો હતો અને ત્યારબાદ સનાથલ પાસે આવેલ ભોલેનાથ ફ્લોર મિલમાં પહોંચાડતો હતો. પુરવઠા વિભાગે સરકારી અનાજ હોવાની લીલી ઝંડી આપ્યા બાદ પોલીસે દુકાન માિલક રાજેન્દ્રસિંહ રાજપૂત, ડ્રાઇવર અરુણ શર્મા, ટેમ્પાે માિલક રાજકુમાર ગુપ્તા તેમજ ભોલેનાથ ફ્લોર મિલના માિલક ભૂરાભાઇ પ્રજાપતિ વિરુદ્ધ છેતરિપંડી, તેમજ જરૂરી ચીજવસ્તુ અધિિનયમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
નરોડા જીઆઇડીસીમાં પોલીસે સસ્તા અનાજના મસમોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો
ઉલ્લેખનીય છે કે થોડાક સમય પહેલાં નરોડા જીઆઇડીસીમાં પોલીસે સસ્તા અનાજના મસમોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો ત્યારે ઓઢવ વિસ્તારમાં અનાજને પલટી નરોડા જીઆઇડીસીની સ્વાિમનારાયણ ટ્રેિડંગ કંપનીમાં મોકલવાનાે પર્દાફાશ થયો હતો. સસ્તા અનાજને સરકારે પૂરી ઇમાનદારીથી ગરીબો સુધી પહોંચાડવા માટેની તૈયારી કરી છે, પરંતુ કેટલાક કાળા બજાિરયાઓએ અનાજને સગેવગે કરી પોતાનાં ખિસ્સાં ગરમ કરી લીધાં છે. લોકડાઉનમાં આર્થિક મંદીથી લોકો પાયમાલ થઇ ગયા છે ત્યારે કાળા બજાિરયાઓએ પોતાનું જીવન વૈભવી રીતે જીવી શકે તેટલું ભેગું કરી લીધું છે
પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર અનાજ કૌભાંડમાં ચાર આરોપીઓ સિવાય પણ હજુ બીજા માસ્ટર માઇન્ડ સામે આવે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ રાજકુમાર ગુપ્તાની ઉપર રહેલા કેટલાક માસ્ટર માઇન્ડ દ્વારા શહેરની અન્ય સરકારી દુકાનોમાં અનાજ પલટીને ફ્લોર િમલ માિલકો સુધી પહોંચાડવામાં આવે છે.