GPF દરેક સરકારી કર્મચારીઓને પોતાની સેલેરીનો એક નિશ્ચિત ભાગ જનરલ પ્રોવિડન્ટ ફંડમાં યોગદાન કરવા માટે પરવાનગી આપે છે.
કેન્દ્ર સરકારે GPFમાં કર્યા ફેરફાર
1 ઓક્ટોબર 2021થી લાગુ થશે
જાણો તમને શું થશે ફાયદો
કેન્દ્ર સરકારે ઓક્ટબરથી ડિસેમ્બર 2021 ત્રણ મહિના માટે જનરલ પ્રોવિડન્ટ ફંડ (General Provident Fund- GPF) અને આ પ્રકારના અન્ય ફંડ માટે વ્યાજદરોની જાહેરાત કરી છે. GPF અને તે હેઠળના અન્ય ફંડ સબ્સક્રાઈબર, જે કેન્દ્ર સરકારના કર્મચારી છે. તેમને ત્રીજા મહિનામાં 7.1 ટકા રિટર્ન મળતુ રહેશે. કારણ કે કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2021-22ના ત્રીજા મહિના માટે GPF વ્યાજદરમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો અને તે 7.1 ટકા યથાવત છે. કેન્દ્ર સરકારે પાછલા ત્રણ મહિનામાં પણ જીપીએફના વ્યાજદરમાં કોઈ ફેરફાર ન હતો કર્યો.
નાણામંત્રીલયમાં આર્થિક મામલાઓના વિભાગના બજેટ ડિવિઝનને આજે આ સંબંધમાં નોટિફિકેશન જાહેર કરી. બજેટ ડિવિઝનની નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે આ જાહેરાત કરવામાં આવે છે કે વર્ષ 2021-22 હેઠળ, જનરલ પ્રોવિડન્ટ ફંડ અને તેના હેઠળ અન્ય ફંડના ગ્રાહકોને જમા પર વ્યાજદર 7.1 ટકા હશે. તે દર 1 ઓક્ટોબર 2021થી લાગુ થશે.
નાની બચત યોજનાઓનો વ્યાજદર નહીં બદલાય
આ પહેલા, કેન્દ્ર સરકારે ઓક્ટોબરથી ડિસેમ્બર 2021 માટે પબ્લિક પ્રોવિડન્ડ ફંડ, NSC, સુકન્યા સમૃદ્ધિ યોજના અને અન્ય નાની બચત યોજનાઓના વ્યાજદરમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યા. ચાલુ ત્રણ મહિના માટે પીપીએફનું વ્યાજદર 7.1 ટકા છે.
GPF દરેક સરકારી કર્મચારીઓને પોતાની સેલેરીનો એક નિશ્ચિત ભાગ જનરલ પ્રોવિડન્ડ ફંડમાં યોગદાન કરવાની પરવાનગી આપે છે. કોઈ પણ સરકારી કર્મચારી પોતાની નોકરી વખતે આ ફંડમાં રોકાણ કરી શકે છે અને રિટાયરમેન્ટના સમયે આ પૈસા કાઢી શકે છે.