કાર્યપ્રણાલી સામે અનેક ફરિયાદ બાદ GPCBના મેમ્બર સેક્રેટરી એ.વી.શાહની પોરબંદર ખાતે બદલી કરવામાં આવી છે.
એ.વી.શાહની જાહેર હિતમાં બદલી
એ.વી.શાહ વિરુદ્ધ મુખ્યમંત્રી સુધી ફરિયાદ પહોંચી હતી
GPCBની કાર્યપ્રણાલી સામે ફરિયાદ ઉઠતા સરકારનો નિર્ણય
GPCBના મેમ્બર સેક્રેટરી એ.વી.શાહની બદલી કરવામાં આવી છે. જ્યારે તેમના સ્થાને નવા મેમ્બર સેક્રેટરી તરીકે ડી.એમ.ઠક્કરને બેસાડવાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કાર્યપ્રણાલી સામે ફરિયાદ ઉઠયા બાદ અને ઔધોગિક એકમોના જવાબદારોને પણ એ.વી.શાહની કામગીરી સામે કથિત પરેશાની હતી જે તમામ મુદ્દાઓને ધ્યાને લઈ સરકાર દ્વારા રાજ્ય પ્રદુષણ બોર્ડ(GPCB)ના સભ્ય એ.વી. શાહની હકાલપટ્ટી કરવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.
નવા મેમ્બર સેક્રેટરી તરીકે ડી.એમ.ઠક્કર નિયુક્ત
રાજ્ય સરકાર દ્વારા વધુ એક અધિકારી પર તવાઈ બોલાવવામાં આવી છે. GPCBના મેમ્બર સેક્રેટરી એ.વી.શાહની જાહેર હિતમાં બદલી કરવામાં આવી છે. એ.વી શાહની પોરબંદર ખાતે બદલી કરાઇ છે. જ્યાં તેમને સિનિયર પર્યાવરણ ઈજનેર તરીકેની જવાબદારી સોંપમવામાં આવી છે. મેમ્બર સેક્રેટરી એ.વી.શાહના કાર્યકાળ દરમિયાન GPCBની કાર્યપ્રણાલી સામે અનેક ફરિયાદો ઉઠી હતી. જ્યારે ઔધોગિક એકમોના સંચાલકોએ પણ એ.વી.શાહ સામે અનેક ફરિયાદો કરી હતી. એટલું જ નહી એ.વી.શાહની કથિત કનળગતભરી કામગીરી અંગે છેક મુખ્યમંત્રી સુધી પણ રાવ ઉઠી હતી. ઔધોગિક એકમોના સંચાલકોની પરેશાની પારખી અને એ.વી.શાહ વિરુદ્ધ વધતા જતા ફરિયાદના દૌરને ધ્યાને લઈને સરકાર દ્વારા મોટો નિર્ણય લઈ એ.વી.શાહને આ હોદા પરથી હટાવી દેવામાં આવ્યા હતા.
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સભ્ય સચિવ એ.વી.શાહ ઘણા લાંબા સમયથી ચર્ચામાં હતા તેમની સામે ગેરરિતી તેમજ કોર્ટ-કચેરીના કેસમાં બેદરકારી દાખવવા સહિતના આક્ષેપો કરાયા હતા અને વડાપ્રધાન કાર્યાલય ખાતે રિપોર્ટ કરાયા બાદ તત્કાલીક અસરથી એ.વી.શાહની બદલી કરી દેવામાં આવી છે અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના મેમ્બર સેક્રેટરી તરીકે ડી.એમ.ઠક્કરની નિમણૂક કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.