સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ વડોદરા મહાનગર પાલિકાના મેયર,કમિશ્નર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, અને GPCBના અધિકારીઓ સામે NGTના આદેશોનું ઉલ્લઘંન કરવા બદલ ફરિયાદ નોંધાવી
વડોદરામાં મનપાના અધિકારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે, સુએઝ પ્લાન્ટનું ટ્રીટ કર્યા વગરનું પાણી સીધું નદીમાં છોડવામાં આવતા નદીનું પાણી દુષિત બન્યું છે જેને લઈને જળચર પ્રાણીઓ અને પર્યાવરણ પ્રદુષણ વધતા સામાજિક કાર્યકર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ વડોદરા મહાનગર પાલિકાના મેયર,કમિશ્નર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, અને GPCBના અધિકારીઓ સામે NGTના આદેશોનું ઉલ્લઘંન કરવા બદલ ફરિયાદ નોંધાવી છે.
નદીમાં પ્રદૂષણ ફેલાવવા મામલો
વિશ્વામિત્રી નદીમાં દુષિત પાણી છોડાઈ રહ્યું છે મહત્વનું છે કે કમિશ્નર બંગલાની બાજુમાં પાણી દુષિત પાણી છોડાઈ રહ્યું હોવા છતા અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.સામાજિક કાર્યકર દ્વારા અનેકવાર અધિકારીઓને રજૂઆત કરાઈ પરતું અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા સામાજિક કાર્યકરે નેશનલ ગ્રીન ટ્રીબ્યૂનલના આદેશોનું ઉલ્લઘંન કરવા બદલ અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવી છે.
GPCB અને વડોદરા મનપા સામે ફરિયાદ દાખલ
સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ જિલ્લા મેજિસ્ટ્રેટ કોર્ટમાં અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવી છે. વિશ્વામિત્રીમાં અગાઉથી દુષિત પાણી છોડવામાં આવી રહ્યું છે અને તંત્રને જાણ હોવા છતા કોઈ કાર્યવાહી ન કરાતા નદીમાં દુષિત પાણી એકઠું થવાથી નદીમાં પ્રદૂષણની માત્રા વધી રહી છે. સુએઝ પ્લાન્ટનું ટ્રીટ કર્યા વગરનું પાણી સીધું જ નદીમાં ઠાલવી દેવામાં આવે છે એટલું જ નહીં બદલે અન્ય કંપની અને જીઆઈડીસીઓનું પાણી પણ નદીમાં ઠલવાતું હોવાના પણ સામે આવ્યું છે ત્યારે NGTના આદેશોનું ઉલ્લઘંન કરવા બદલે જિલ્લા મેજિસ્ટ્રેટ કોર્ટમાં સામાજિક કાર્યકરે ફરિયાદ નોંધાવી છે.