વિધાનસભામાં OBC ના વિવિધ નિગમને ફાળવાતા બજેટનો મુદ્દો ઉઠ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાનો આક્ષેપ હતો કે સરકાર બજેટમાં ભેદભાવ કરે છે. સરકારે OBC ના તમામ નિગમને મળી કુલ 166 કરોડની જ ફાળવણી કરી છે.
વિધાનસભામાં OBCના વિવિધ નિગમને ફાળવાતા બજેટનો મુદ્દો ઉઠ્યો
કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાનો આક્ષેપ હતો કે સરકાર બજેટમાં ભેદભાવ કરે છે
સરકારે OBCના તમામ નિગમને મળીને કુલ 166 કરોડની જ ફાળવણી કરી છે
કોળી અને ઠાકોર સમાજની વસ્તી 28 ટકા છતા નિગમને 22 કરોડ જ મળ્યા
વર્ષો સુધી અભેરાઈ ઉપર જે કમિશનનો અહેવાલ ચડાવી દેવાયો હતો તે મંડલ કમિશનના અહેવાલને પૂર્વ પ્રધાનમંત્રી વી.પી.સિંહે અમલમાં મુક્યો અને પછી જે થયું તે 80-90ના દશકની પેઢી સારી રીતે જાણે છે.. OBC અનામતને ભાજપ-કોંગ્રેસ જ નહીં પરંતુ તમામ રાજકીય પક્ષોએ બહુ જ મહત્વના રાજકીય હથિયાર તરીકે વાપર્યુ છે એમ કહીએ તો જરા પણ અતિશયોક્તિ નથી.. પ્રાદેશીક પક્ષો આટલી હદે આજે ફૂલ્યાફાલ્યા છે તેમાં OBC અનામતનો બહુ મોટો ફાળો છે.. ફરી એકવાર OBC અનામત ચર્ચામાં આવ્યું પણ જુદા કારણોસર. સરકારે OBCના વિવિધ નિગમોને કુલ 166 કરોડની જ ફાળવણી કરી
વિધાનસભામાં અંદાજપત્રની ચર્ચા દરમિયાન વિવિધ OBC નિગમોને ફાળવતા કુલ બજેટની રકમનો મુદ્દો ઉઠ્યો જેનો આંકડો ઉડીને આંખે વળગે એવો હતો.. જો આંકડાને માનીએ તો સરકારે OBCના વિવિધ નિગમોને કુલ 166 કરોડની જ ફાળવણી કરી છે જે બજેટની દ્રષ્ટિએ ઘણી ઓછી છે.. અધૂરામાં પુરુ પંચાયતમાં 10 ટકા અનામત તો હાલ નાબૂદ જ છે જેમા ઓબીસી પંચના અહેવાલની રાહ જોવાઈ રહી છે.. સવાલ તો એ પણ વ્યાજબી જ છે કે જે રકમ ફાળવી છે તેમાંથી ખરેખર સમાજના કલ્યાણ માટે કેટલા વપરાશે.. OBC કલ્યાણના નામે ફાળવાયેલી રકમ ઉપર નિશાન તાકવાના સાર્થક કારણો કયા, આ તમામ મુદ્દે છે.
કોંગ્રેસનો એ પણ આક્ષેપ છે કે સરકારના OBC આગેવાન આ મુદ્દે ચૂપ છે
વિધાનસભામાં OBC ના વિવિધ નિગમને ફાળવાતા બજેટનો મુદ્દો ઉઠ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાનો આક્ષેપ હતો કે સરકાર બજેટમાં ભેદભાવ કરે છે. સરકારે OBC ના તમામ નિગમને મળી કુલ 166 કરોડની જ ફાળવણી કરી છે. ગુજરાતની 7 હજાર જેટલી ગ્રામ પંચાયતમાં વહીવટદારનું શાસન ચાલે છે. ગ્રામ પંચાયતમાં 10 ટકા OBC અનામત હટાવ્યા બાદ ચૂંટણી પાછી ઠેલાઈ છે. વહીવટદાર નિમવા પાછળ OBC પંચનો અહેવાલ ન આવ્યો હોવાનું કારણ જવાબદાર છે. ત્યારે કોળી અને ઠાકોર સમાજની વસ્તી 28 ટકા છતા નિગમને 22 કરોડ જ મળ્યા છે. કોંગ્રેસનો એ પણ આક્ષેપ છે કે સરકારના OBC આગેવાન આ મુદ્દે કેમ ચૂપ છે. કુંવરજી બાવળિયા અને અલ્પેશ ઠાકોર આ મુદ્દે ચૂપ કેમ છે તેવો પણ સવાલ ઉઠ્યો છે.
ઈ-સમાજકલ્યાણ પોર્ટલ શું છે?
ઈ-સમાજકલ્યાણ પોર્ટલની શું છે તેની વાત કરીએ તો સરકારની સામાજિક કલ્યાણની યોજનાઓનો લાભ ઘરે બેઠા મળી શકે તે માટે તેનો ઉપયોગ થઈ શકે છે. તેમજ OBC, SC સમાજની યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે. દિવ્યાંગજનની યોજના, EWSની યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે. તેમજ ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમની માહિતી ઓનલાઈન મળી રહે છે. ત્યારે સામાજિક NGOના રજીસ્ટ્રેશન પણ થઈ શકે છે.
સરકારની કઈ યોજનાના ફોર્મ ભરી શકાય?
નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ
ગુજરાત રાજ્ય ની સ્થાપના થયા બાદ ભારતના લોકકલ્યાણના હેતુલક્ષી બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતો અને જોગવાઇઓમાં કોઇપણ પ્રકારના ભેદભાવ વગર સૌને સમાન તક આપવાની અને રાષ્ટ્રના નબળા વર્ગોના વિકાસ માટે ખાસ માવજતની જોગવાઇ કરી છે. બંધારણના અનુચ્છેદ ૪૬મા દર્શાવ્યા મુજબ રાષ્ટ્રના/સમાજના નબળા વર્ગોના અને ખાસ કરીને અનુ. જાતિ અને અનુસૂચિત આદિ જન જાતિઓના શૈક્ષણિક હેતુની અભિવૃદ્ધિ રાજ્ય વિશેષ કાળજીથી કરશે. તદનુસાર ગુજરાત રાજ્ય માં અનુ. જાતિઓના સર્વાંગી વિકાસની અનેકવિધ યોજનાઓ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતું કરી રહ્યું છે.
અનુસૂચિત જાતિની યોજનાઓ નીચેના વિકાસલક્ષી જૂથોમાં આવે છેઃ
શિક્ષણ યોજનાઓ.
આર્થિક ઉત્કર્ષની યોજનાઓ.
સ્વાસ્થ્ય, આવાસ નિર્માણ યોજનાઓ.
અન્ય કલ્યાણ યોજનાઓ.
નિયામક, વિકસતી જાતિ કલ્યાણ વિભાગ
નિયામક વિકસતી જાતિ કલ્યાણ ખાતા ધ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગો, આર્થિક રીતે પછાતવર્ગો, લઘુમતીઓ અને વિચરતી- વિમુકત જાતિઓના શૈક્ષણિક, આર્થિક ઉત્કર્ષ, તેમજ આરોગ્ય ગૃહનિર્માણ અને સામાજિક ઉત્કર્ષ જેવી વિવિધ કલ્યાણકારી યોજનાઓ ધ્વારા સર્વાગી વિકાસની પ્રવૃત્તિ કરવામાં આવે છે. આ યોજનાઓનાં 21 ફોર્મ ભરી શકાય છે. નિયામક, સમાજ સુરક્ષા વિભાગ
સમાજ સુરક્ષા ખાતાની પ્રવૃત્તિઓ મુખ્યત્વે સમાજના નબળા વર્ગો જેવા કે અનાથ, નિરાધાર, ગુન્હાવૃત્તિ તરફ વળેલા બાળકો તેમજ યુવાન અને સંજોગોનો ભોગ બનેલ બાળાઓ, શારીરિક-માનસિક ક્ષતિવાળા બાળકો અને પુખ્તવયની વ્યક્તિઓ તથા વૃધ્ધો અને અશક્તો અને ભિક્ષુકોના કલ્યાણ તેમજ પુનઃવસવાટ વિગેરે સાથે સંકળાયેલી છે. ત્યારે આમાં 15 યોજનાઓનાં ફોર્મ ભરી શકાય છે.
આ હેતુ માટે જરૂરી જણાયે આવી વ્યક્તિઓને સંસ્થામાં આશ્રય આપવામાં આવે છે. જેમાં તેઓને ખોરાક, કપડાં, વૈદકિય સારવાર, શૈક્ષણિક, ઔઘોગિક તાલીમ અને પુનઃવસવાટ અંગેની સેવાઓ વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. સમાજ સુરક્ષા ખાતાના આ ઉદ્દેશો પાર પાડવા માટે રાજ્ય સરકાર તરફથી જુદા જુદા સામાજિક અધિનિયમોનો અમલ કરવામાં આવે છે. ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ
ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ્નો ઉદ્દેશ રાજ્યમાં વસેલા સફાઇ કામદારો અને તેમના આશ્રિતોને તેમના પરંપરાગત અમાનવીય ગુલામી-ગરીબીવાળા અસ્વચ્છ વ્યવસાયમાંથી મુકિત અપાવી તેઓ અને તેમના આશ્રિતો ગૌરવપૂર્ણ જીવન જીવી શકે તે માટે જરૂરી લોન-શિરાણ/સહાય પૂરી પાડી તેમનું પુન:સ્થાપન કરવાનો છે. આ યોજનામાં 10 ફોર્મ ભરી શકાય છે. રાજ્ય દિવ્યાંગ નાણા અને વિકાસ નિગમ
વિકલાંગ ( સમાન તકો -અધિકારોનું રક્ષણ અને પૂર્ણ ભાગીદારી) ધારો-૧૯૯૫ હેઠળ કાયદાનુસાર રચાયેલ આ સ્વતંત્ર કમિશનર કચેરીની સ્થાપના તા.૭/૨/૧૯૯૬થી થયેલ છે. આ અર્ધન્યાયિક પ્રકારની સત્તા ધરાવતી કચેરી છે જેનાં કાર્યો નિયમન અને વિકાસલક્ષી છે. વિકલાંગ વ્યક્તિઓના હક્કોના ભંગના કિસ્સાઓમાં આ કચેરી સીવીલ કોર્ટ તરીકેની કામગીરી બજાવે છે. કેન્દ્ર સરકારના સુચવ્યા અનુસાર રાજ્ય સરકારે નવેમ્બર-૧૯૯૬માં રાજ્ય કમિશનરની નિમણુંક કરી હતી. પરંતુ ડીસેમ્બર-૧૯૯૬થી રાજ્ય કમિશનરને સ્વતંત્ર કચેરી અને કર્મચારીગણ મળેલ છે. બિનઅનામત શૈક્ષણિક-આર્થિક વિકાસ નિગમ
ગુજરાત રાજ્યમાં શિક્ષણ, આર્થિક વિકાસ અને તેમના સામાજિક વિકાસ (અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ, સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ અને તેમના આશ્રિતો સિવાયના સમુદાયો સિવાય) બિનઅનામત વર્ગના સમુદાયના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવા. કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકા અથવા યોજનાઓ અનુસાર, વ્યક્તિગત રીતે અથવા જૂથોમાં, પછી ભલે તે પ્રત્યક્ષ રીતે અથવા કોઈ એજન્સી દ્વારા કે રાજ્ય/કેન્દ્ર સરકારના મંત્રાલયો અથવા વિભાગો અથવા અન્ય નાણાકીય સંસ્થાઓના સહયોગથી. ત્યારે આ યોજનામાં 1 જ યોજનાનું ફોર્મ ભરી શકો છો.
પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કેવી રીતે કરશો
e-samajkalyangujaratgov.in સર્ચ કરીને પોર્ટલ ખોલવાનું રહેશે. ત્યાર બાદ પોર્ટલ ખુલ્યા બાદ લોગિન ઓપ્શનમાં જવાનું રહેશે. જેમાં નવા યુઝર પર ક્લિક કરવું. ત્યાર બાદ આધારકાર્ડ અપલોડ કરીને સંપૂર્ણ વિગત આપવાની રહેશે. જે કન્ફર્મ કર્યા બાદ રજીસ્ટ્રેશન નંબર આવશે. જે કોઈપણ યોજનામાં ફોર્મ ભરતી વખતે રજીસ્ટ્રેશન નંબર ઉપયોગી છે. જેથી રજીસ્ટ્રેશન નંબર સાચવી રાખવો જરૂરી છે. રજીસ્ટ્રેશન થયા બાદ લોગિન કરી પાસવર્ડ નાંખવો. જેથી તમે જરૂરી યોજનામાં ક્લિક કરી ડોક્યુમેન્ટ અપલોડ કરી શકશો. ત્યારે બાદ તમે કોઈ યોજનાનું ફોર્મ ભર્યું હશે તો તેનું સ્ટેટસ પણ ચેક કરી શકશો. આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સંપર્કના ઓપ્શન પર ક્લિક કરવાથી અલગ-અલગ વિભાગના નંબર મળશે.