દેશમાં જ્યાં 'એક દેશ, એક ચૂંટણી' અંગે ચર્ચા ચાલી રહી છે ત્યારે આ વચ્ચે મોદી સરકારે હવે 'એક દેશ, એક રાશનકાર્ડ' લાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. કન્ઝુયમર અફેર્સ અને ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાને જણાવ્યું છે કે સરકાર આ દિશામાં આગળ વધી રહી છે.
રાશનકાર્ડ પોર્ટેબિલિટી
રામવિલાસ પાસવાને કહ્યું કે રાશન કાર્ડની દેશમાં પોર્ટેબિલિટીની સુવિધા શરૂ કરવામાં આવશે. જેમાં આ સુનિશ્ચિત થઇ જાય કે દરેક લાભાર્થીઓ ખાસ કરીને પ્રવાસી લોકોને દેશમાં ક્યાંય પણ સાર્વજનિક વિતરણ પ્રણાલી (PDS)નું રાશન મળી શકે.
કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાને ગુરૂવારે રાજ્યના ખાદ્ય સચિવો અને સરકારી અધિકારીઓ સાથેની બેઠકને સંબોધન કરતાં આ વાત જણાવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર પાસવાને કહ્યું કે PDSના ઇન્ટીગ્રેટેડ મેનેજમેન્ટ હેઠળ રાશન કાર્ડનું એક સેન્ટ્રલ રિપોજિટરી (કેન્દ્રીય સંગ્રહ કેન્દ્ર) બનાવામાં આવશે. જેના કારણે રાષ્ટ્રીય લેવલે ડબલિંગથી બચી શકાય.
આ કાર્યક્રમને સંબોધન કરતા ઉપભોક્તા મામલા અને ખાધ્ય તેમજ સાર્વજનિક વિતરણ વિભાગના રાજ્ય મંત્રી દાનવે રાવસાહબ દાદારાવને રાજ્યોને આગ્રહ કર્યો કે રાશનકાર્ડના ડિજિટાઇજેસન પર કામ શરૂ કરે.
કેવી રીતે કામ કરશે આ નવી વ્યવસ્થા
આ નવી વ્યવસ્થા પ્રમાણે દેશભરમાં તમે એક જ રેશન કાર્ડનો ઉપયોગ કરી શકશો. આ સાથે ખોટા રાશનકાર્ડ બનાવનાર પર કડક કાર્યવાહી કરવામાં આવશે. કેન્દ્ર સરકાર તૈયારી કરી રહી છે કે આધારકાર્ડની જેમ દરેક રેશનકાર્ડનો એક વિશિષ્ટ (યૂનિક) ઓળખ આપવામાં આવે. જેના કારણે ખોટા રેશનકાર્ડ બનાવવું ઘણુ મુશ્કેલ બની જશે.
આ સાથે સરકાર એવી વ્યવસ્થા કરશે જેમાં ઓનલાઇન ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ બનાવવામાં આવે. આ સિસ્ટમમાં રેશન કાર્ડનો ડેટા સ્ટોર કરવામાં આવશે. આ સિસ્ટમ તૈયાર થયા બાદ જો દેશમાં કોઇપણ જગ્યાએ ખોટુ રેશન કાર્ડ બનાવવાનો પ્રયત્ન કરશે તો આ સિસ્ટમ દ્વારા તેની ખબર પડી જશે. આ ઓનલાઇન સિસ્ટમથી એક મોટો ફાયદો એ થશે કે કોઇપણ લાભાર્થી દેશના કોઇપણ ભાગમાંથી રાશનની દુકાન પરથી સબસિડી વાળુ અનાજ ખરીદી શકશે.