કેન્દ્રીય મંત્રી સંતોષકુમાર ગંગવારે 11 સપ્ટેમ્બરના રોજ જણાવ્યું હતું કે સરકાર પ્રવાસી મજદૂરોનો એક ડેટાબેસ તૈયાર કરવા પર કામ કરી રહી છે જેથી તેમને અલગ-અલગ કલ્યાણકારી યોજનાઓનો પ્રત્યક્ષ રીતે લાભ મળી શકે. શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રીએ કહ્યું કે કોઇપણ નીતિના નિર્માણ માટે એક ડેટાબેસ જરૂરી છે.
સંતોષકુમાર ગંગવારે કહ્યું કે અમે હંમેશા પ્રવાસી મજૂદરોના અંદાજિત આંકડાઓ અંગે વાત કરીએ છી. પરંતુ આજે જરૂરિયાત આ વાતની છે કે પ્રવાસી મજદૂર અંગે એક એવો ડેટાબેસ તૈયાર કરવામાં આવે જેથી તેમને સરકારની અલગ-અલગ કલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ મળી શકે. સરકાર આ અંગે ચિંતિત છે, સરકાર ઇચ્છે છે કે તેમને પોતાની કાબેલિયત પ્રમાણે નોકરી મળવી જોઇએ.
સરકાર આ દિશામાં હાલમાં કામ કરી રહી છે... સરકાર આઇટી (સૂચના પ્રોદ્યોગિકી)નો સૌથી વધારે ઉપયોગ કરી રહી છે જેથા સાચા આંકડા સામે આવે. કોઇપણ નીતિના નિર્માણ માટે સાચો ડેટાબેઝના મહત્વ પર ભાર મુકતા મંત્રીએ કહ્યું કે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહેલા કામદાર (મજદૂર)નો સાચો અને સટીક ડેટા હોવો આવશ્યક છે.
મંત્રીએ કહ્યું કે તેઓ આપણા દેશનુ એક મહત્વપૂર્ણ અને મજબૂત કાર્યબળ છે. તેઓ કાર્યબળનો એક મોટો ભાગ છે. જો આપણી પાસે તેમના અંગે કોઇ ઠોસ ડેટા નથી, તો એમ માનવું જોઇએ કે કંઇક ખોટું છે.
સંતોષ ગંગવારે કહ્યું કે આપણી પાસે સંગઠિત ક્ષેત્રમાં અંદાજે 10 કરોડ મજદૂર છે અને 40 કરોડ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે, તો લોકો પૂછે છે કે અમારી પાસે કોઇ ડેટાબેઝ છે. મંત્રીએ કહ્યું કે શ્રમ બ્યૂરો આ ડેટાને વ્યવસ્થિત કરવાનું કામ કરી શકે છે. તેમણે પ્રવાસી મજદૂરોની સામે આવનારી સમસ્યાઓ પર પ્રકાશ પાડયો, જેમાં મોટી સંખ્યામાં Covid-19 મહામારીની વચ્ચે પોતાના વતન પરત ફર્યાં હતા.