ભાડા પર રહેતા લોકો માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં મોટું પગલું ભરી શકે છે. હાઉસિંગ અને અર્બન અફેર્સના સેક્રેટરી દુર્ગા શંકર મિશ્રાએ જણાવ્યું કે, ભાડાના મકાનોને પ્રોત્સાહન આપવાના હેતુથી કેન્દ્ર સરકારે આ પગલું લીધું છે.
વાણિજ્ય અને ઉદ્યોગ સંગઠન એસોચેમ દ્વારા હાઉસિંગ સેક્ટર પર આયોજીત એક કોન્ફરન્સને સંબોધન કરતા તેમણે આ માહિતી આપી. હાઉસિંગ સેક્રેટરીએ કહ્યું કે, વિવિધ રાજ્યોમાં વર્તમાન ભાડાનો કાયદો ભાડૂઆતના હિતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, વર્ષ 2011ની વસ્તી ગણતરી અનુસાર, દેશભરમાં 1.1 કરોડથી વધુ ઘર ખાલી પડ્યાં છે, કારણ કે લોકો તેને ભાડાં પર આપવાથી ડરે છે. મિશ્રાએ કહ્યું કે- તેમનું મંત્રાલય ખાતરી કરશે કે એક વર્ષમાં દરેક રાજ્ય આ મોડેલ કાયદાના અમલ માટે જરૂરી જોગવાઈઓ કરે.
તેમણે કહ્યું, અમને આશા છે કે આ કાયદો લાગુ થયા પછી, ખાલી ફ્લેટ્સમાંથી 60-80 ટકા ભાડા બજારમાં આવશે. સાથે જરિયલ એસ્ટેટ ડેવલપર્સ તેમના જે મકાને વેચાયા નથી તેને પણ ભાડા પર આપી શકે છે. શહેરી વિકાસ મંત્રાલયે જુલાઈ 2019માં આદર્શ ભાડુ કાયદો બહાર પાડ્યો હતો, જેમાં દરખાસ્ત કરવામાં આવી હતી કે મકાન માલિકે ભાડામાં ફેરફાર કરવાના ત્રણ મહિના પહેલા લેખિત સૂચના આપવી પડશે. જેમાં જિલ્લા કલેકટરને ભાડા અધિકારી તરીકે નિમણૂક કરવા અને નિર્ધારિત સમયથી વધુ રહેવા પર ભારે દંડ લાદવાની સલાહ આપવામાં આવી છે.
હાલમાં જ દેશમાં ઓછું ભાડું હાઉસિંગ કોમ્પ્લેક્સ યોજના વિશે મિશ્રાએ કહ્યું કે, આ કાર્યક્રમનો હેતુ કેન્દ્ર અને રાજ્યોની માલિકીના લાખો ફ્લેટોને સસ્તા ભાડા પર પ્રવાસી મજૂરો માટે ભાડુઆત રહેઠાણમાં રૂપાન્તરિત કરવાનું છે. તેમણે કહ્યું કે, રાજ્યો આગામી એક વર્ષમાં આ સંદર્ભમાં જરૂરી કાયદા પસાર કરી શકે છે. મિશ્રાએ કહ્યું, 'અમે મોટો સુધારો લાવવા જઈ રહ્યા છીએ. અમે ભાડાનો કાયદો બદલી રહ્યા છીએ. હાઉસિંગ સેક્રેટરીએ જણાવ્યું હતું કે ભાડૂઆતોના હિતની સુરક્ષા માટે વિવિધ રાજ્યોમાં હાલના ભાડાના કાયદા ઘડાયા છે.