પરીક્ષામાં હાજર રહેનારા ઉમેદવારોના જ ખાતામાં રૂપિયા એટલે કે ટ્રાવેલ અલાઉન્સ જમા થશે. જેની માટે ઉમેદવારે કોલ લેટર ડાઉનલોડ કર્યા બાદ .......
જૂનિયર ક્લાર્કની પરિક્ષા સંદર્ભે મહત્વના સમાચાર
રાજ્ય સરકાર ઉમેદવારોને આપશે ટ્રાવેલ અલાઉન્સ
હાજર ઉમેદવારોના બેંક ખાતામાં ઉચ્ચક રકમ જમા થશે
રૂ.254 ઉમેદવારોના બેંકના ખાતામાં જમા થશે
કોલ લેટર ડાઉનલોડ કર્યા બાદ બેંકની માહિતી આપવી પડશે
જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઇ મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજ્ય સરકાર જુનિયર ક્લાર્કની પરીક્ષા ઉમેદવારોને ટ્રાવેલ એલાઉન્સ આપશે. જોકે અહી એ મહત્વનું છે કે, પરીક્ષામાં હાજર રહેનારા ઉમેદવારોના જ ખાતામાં રૂપિયા જમા થશે. માહિતી મુજબ દરેક ઉમેદવારના ખાતામાં 254 રૂપિયા જમા કરાવવામાં આવશે. જેની માટે ઉમેદવારે કોલ લેટર ડાઉનલોડ કર્યા બાદ બેંકની માહિતી આપવી પડશે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપનાર ઉમેદવારોને હવે ટ્રાવેલ એલાઉન્સ આપવાનું નક્કી કરાયુ છે. જે મુજબ કોલલેટર ડાઉનલોડ કર્યા બાદ હવે ઉમેદવારોએ ઓનલાઈન બેંકની માહિતી આપવી પડશે. જે બાદમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ 20 એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન ઉમેદવારોના ખાતામાં આ રકમ એટલે કે ટ્રાવેલ એલાઉન્સની ફાળવણી કરવામાં આવશે. જોકે નોંધનીય છે કે, આ માહિતી ઓનલાઈન ભરવાની સમયમર્યાદા 31-03-2023ના બપોરે 01:00 વાગ્યાથી 09-04-2023ના 12:30 વાગ્યા સુધી જ ભરી શકાશે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરીને મોટી જાહેરાત કરી છે. મહત્વનું છે કે, ગઈકાલે જ હસમુખ પટેલે ટ્વિટ કરીને કહ્યું હતું કે, આવતીકાલે એટલે કે 31-03-2023થી જુનિયર કલાર્ક પરીક્ષા માટે ઉમેદવારો કોલલેટર ડાઉનલોડ કરી શકશે. જોકે હવે આજે ફરી હસમુખ પટેલે ટ્વિટ કરીને કહ્યું છે કે, આજે બપોરે 1.00 વાગ્યાથી જુનિયર ક્લાર્કના કોલ લેટર ડાઉનલોડ થઈ શકશે.
તમામ ઉમેદવારો એક સાથે કોલ લેટર ડાઉનલોડ કરવા પ્રયત્ન કરશે તો શરૂઆતમાં ડાઉનલોડમાં થોડી મુશ્કેલી પડી શકે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલને જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાની જવાબદારી સોપાઈ છે. તેવાં અગાઉ પરીક્ષાની તારીખ જાહેર થયા બાદ હવે કોલલેટરને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. મહત્વનું છે કે, ગઈકાલે જ હસમુખ પટેલે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, આગામી 9 એપ્રિલે યોજાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાના કોલલેટર આવતીકાલથી ડાઉનલોડ કરી શકાશે. નોંધનીય છે કે, 1 હજાર 181 જગ્યા માટે આ પરીક્ષા યોજાઈ રહી છે.
મહત્વનું છે કે, અગાઉ હસમુખ પટેલે VTV સાથે ખાસ વાતચીતમા જણાવ્યું હતુ કે ,એપ્રિલમાં પરિક્ષા આવે તેવી તૈયારી આ ત્રણ મુદા પર વિઘાર્થીઓના હિતમાં ધ્યાન કેન્દ્રીત કરીશુ. સૌ પ્રથમ તો પેપરલીક ન થાય તેનુ ખાસ ધ્યાન રાખવામાં આવશે, બીજુ પરિક્ષામાં અંદર ચોરી ડામવા પર ફોકસ રાખવામાં આવશે અને ખાસ કરીને પરિક્ષા પછી પારદર્શક રીતે પરિણામ આપવાનો પુરો પ્રયાસ કરવામા આવશે. આ સાથે ધ્યાન રાખવામા આવશે કે, જે પરિક્ષા આપતા વિધાર્થીઓ છે તેની સાથે યોગ્ય કોમ્યુનિકેશન જળવાઇ રહે, જેમાં તેને સતત યોગ્ય અપડેટ અને માર્ગદર્શન મળતુ રહે તે મુજબ પ્રયાસ કરવામાં આવશે.
જુનિયર ક્લાર્કની પરીક્ષાના કોલ લેટર આવતીકાલે બહાર પાડવામાં આવશે.
પેપર પ્રિન્ટ ક્યાં કરવામા આવશે?
આ સાથે તેમણે જણાવ્યું કે, પેપર પ્રિન્ટ ક્યાં કરવામા આવશે ? તે એક દમ ગોપનિય રાખવામા આવશે. આ સાથે કહ્યું કે, એપ્રિલ મહિનામાં પરિક્ષા યોજવાની તૈયારી છે. વિઘાર્થીઓ મહેનત કરવા લાગે બનેલી કમનસીબ ઘટનાનો ફાયદો લઇ વિઘાર્થીને સમય મળ્યો તો ડબલ મહેનત કરે.