કેન્દ્ર સરકાર ફરી એક વખત સ્પષ્ટતા કરી છે કે હાલમાં 2000 રૂપિયાની નોટ બંધ કરવાનો કોઇ પ્લાન નથી. સરકારે લોકસભામાં કહ્યુ કે નોટબંધી પછી ચલણમાં આવેલી 2000 રૂપિયાની નોટ બંધ કરવાની સરકારની કોઇ યોજના નથી. સરકારે તેમ પણ કહ્યુ કે ટ્રાયલ તરીકે 5 શહેરોમાં 10 રૂપિયાની પ્લાસ્ટિક કરન્સી જારી કરવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રાયલ ક્યારથી શરૂ થશે તે અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
કેન્દ્રીય નાણાં રાજ્ય પ્રધાન પી. રાધાકૃષ્ણને એક સવાલનો લેખિતમાં જવાબ આપતા કહ્યું છે કે નજીકના ભવિષ્યમાં સરકારની નોટ બંધ કરવાની કોઈ યોજના નથી. સરકારે કહ્યું છે કે રૂ. 500 અને રૂ. 2000ની નોટની સરળતાથી ઓળખ થઈ શકે છે તે માટે બંને નોટમાં 10 એમએમનું અંતર રાખવામાં આવ્યું છે.
સરકારે ડિજિટલ કરન્સીને પ્રોત્સાહન આપવા માટે કાણા નાણાં પર ઘા કરવા માટે 2016માં 9 નવેમ્બરથી રૂ. 500 અને રૂ. 1000ની નોટ અમાન્ય જાહેર કરી હતી.
પ્લાસ્ટિકની નોટો વિશે જણાવતા મંત્રીએ કહ્યુ કે પાંચ શહેરોમાં ટ્રાયલ તરીકે 10 રૂપિયાની પ્લાસ્ટિકની નોટ લાવવામાં આવશે. આ ટ્રાયલ કોચી મૈસૂર જયપુર અને ભુવનેશ્વરમાં થશે. ટ્રાયલ ક્યારથી શરૂ થશે તે વિશે હજી સુધી કોઈ ટાઇમલાઇન નક્કી કરવામાં આવી નથી.