કેન્દ્ર સરકારે રેમડેસિવિર ઈન્જેક્શન તથા તેના કાચા માલની આયાત પર કસ્ટમ ડ્યૂટી ખતમ કરી દીધી છે.
સરકારે રેમડેસિવિર ઈન્જેક્શન તથા તેના કાચા માલની આયાત પર કસ્ટમ ડ્યૂટી ખતમ
રેમડેસિવિર સસ્તા થઈ જશે
દવા કંપનીઓએ રેમડિસિવિરના ભાવ ઘટાડ્યા
સરકારે રેમડેસિવિર ઈન્જેક્શન તથા તેના કાચા માલની આયાત પર કસ્ટમ ડ્યૂટી ખતમ કરી
દેશમાં કોરોના મહામારીના કારણે રેમડેસિવિર ઈન્જેક્શનની ભારે માંગ ઉભી થતા કેન્દ્ર સરકારે મંગળવારે આ ઈન્જેક્શન તથા તેના કાચા માલની આયાત પર કસ્ટમ ડ્યૂટી ખતમ કરી દીધી છે. આનાથી આ સસ્તા થઈ જશે. દેશમાં કોરોનાના વધતા કેસની વચ્ચે સરકારે મંગળવારે રેમડેસિવિર, તેના કાચા માલ અને એન્ટી વાયરલ દવા બનાવવામાં ઉપયોગમાં આવનારા અન્ય સામાન પર સીમા મર્યાદા સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. આ પગલુ રેમડિસિવિર ઈન્જેક્શનના ડોમેસ્ટિક આપૂર્તિ વધારવા અને ખર્ચ ઘટાડવામાં મદદ કરશે.
In line with PM @NarendraModi's priority to ensure affordable medical care for COVID-19 patients, imports of Remdesivir API, injection and specific inputs have been made import duty free. This should increase supply and reduce cost thus providing relief to patients. pic.twitter.com/F40SX8mNeS
રાજસ્વ વિભાગ તરફથી જારી અધિસૂચનામાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારે જન હિતમાં આ ઉત્પાદનો પર સીમા ટેક્સ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. જે ઉત્પાદનો પર આયાત ટેક્સ નહીં લાગે તેમાં રેમડિસિવિર એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઈન્ગ્રિડિએન્ટ(એપીઆઈ), ઈન્જેક્શન રેમડિસિવિર અને રેમડિસિવિરના વિનિર્માણમાં કામ આવનારી બીટા સાઈક્લોડેક્ટ્રિન સામેલ છે.
આ છુટ આ વર્ષે 31 ઓક્ટોબર સુધીમાં લાગુ કરવામાં આવશે
આયાત ટેક્સની આ છુટ આ વર્ષે 31 ઓક્ટોબર સુધીમાં લાગુ કરવામાં આવશે. વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રી પીયુષ ગોહેલે ટ્વીટ કરી લખ્યુ કે પીએમ નરેન્દ્ર મોદીની કોવિડ -19ના દર્દીઓના સ્વાસ્થ્યની દેખરેખની પ્રાથમિકતાને ધ્યાનમાં રાખીને રેમડિસિવિર એપીઆઈ, ઈન્જેક્શન અને અન્ય સામગ્રીને આયાત ટેક્સ મુક્ત કરવામાં આવ્યા છે. જેનાથી જથ્થો વધતે અને ખર્ચ ઘટશે. જેનાથી દર્દીઓને રાહત મળશે.
દવા કંપનીઓએ રેમડિસિવિરના ભાવ ઘટાડ્યા છે
આની પહેલા 11 એપ્રિલે રેમડિસિવિરની વધતી માંગને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ આના ઈન્જેક્શન અને એપીઆઈની નિકાસને સ્થિતિમાં સુધારો થવા સુધી પ્રતિબંધિત કરી દીધી હતી. એનપીપીએએ ગત અઠવાડિયે કહ્યુ હતુ કે સરકારના હસ્તક્ષેપ બાદ વિભિન્ન દવા કંપનીઓએ રેમડિસિવિરના ભાવ ઘટાડ્યા છે.
જાણો કોના કેટલા ભાવ ઘટ્યા
કેડિલા હેલ્થકેરે રેમડૈક (રેમડિસિવિર 100 એમજી) ઈન્જેક્શનના ભાર 2800થી ઘટીને 899 રુપિયા કરી દીધા છે. આ રીતે સિંજીન ઈન્ટરનેશનલે પોતાની બ્રાન્ડ રેમવિનના ભાવ 3950 રુપિયાથી ઘટાડીને 2450 કરી દીધા છે. હૈદરાબાદની ડો. રેડ્ડીઝ લેબના રેડવાઈએક્સના ભાવ 5400થી ઘટાડીને 2700 કરી દીધા છે. આ રીતે સિપ્લાએ પોતાની સિપરેમી બ્રાન્ડના ભાવ 4 હજારથી ઘટાડીને 3 હજાર કરી દીધા અને મેલાને પોતાની બ્રાન્ડના ભાવ 4800થી ઘટાડીને 3400 રુપિયા કરી દીધા છે. જુલિલેન્ટ જેનેરિક્સે પોતાના રેમડિસિવિર બ્રાન્ડના ભાવ 4700થી ઘટાડીને 3400 કરી નાંખ્યા છે.