કેન્દ્ર સરકારે ઓએનજીસીનો તેના હિસ્સામાંથી 1.5 ટકા હિસ્સો વેચીને 3000 કરોડ ભેગા કરવાનો નિર્ણય કર્યો છે.
ONGCમાં 1.5 ટકા હિસ્સેદારી વેચશે સરકાર
3000 કરોડ ભેગા કરવાનું સરકારનું લક્ષ્ય
ચાલુ અઠવાડિયામાં પોતાના ભાગનો હિસ્સો વેચશે સરકાર
કેન્દ્ર સરકારે ચાલુ અઠવાડિયામાં દેશની દિગ્ગજ ઓઈલ અને ગેસ સેક્ટરની કંપની ONGCમાં તેની 1.5 ટકા હિસ્સેદારી વેચવાનો નિર્ણય કર્યો છે.
ONGCએ ફાઈલિંગમાં આપી માહિતી
ONGCમાં 1.5 ટકા હિસ્સેદારી વેચીને કેન્દ્ર સરકાર 3000 કરોડ રુપિયા ભેગા કરવા માગે છે. ONGCએ મંગળવારે સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગમાં આ માહિતી જાહેર કરી હતી. ONGCએ કહ્યું કે સરકાર તરફથી ઓફર ફોર સેલ 30 માર્ચે ખુલશે.
સરકાર વેચશે આટલા શેર
ONGCએ એવું પણ જણાવ્યું કે સરકાર કંપનીના 94,352,094 ઈક્વીટી શેર 30 માર્ચ 2022ના રોજ નોન રિટેલ ઈન્વેસ્ટર્સને અને 31 માર્ચ 2022ના દિવસે છૂટક રોકાણકારોને વેચવાનો પ્રસ્તાવ કર્યો છે. સરકારે ઓવરસબ્સક્રિપ્શનની સ્થિતિમાં 94,352,094 વધારાના ઈક્વીટી શેર વેચવાની પણ દરખાસ્ત કરી છે. ઓફર ફોર સેલ માટે પ્રતિ શેર દીઠ 159 રુપિયાની પ્રાઈસ નક્કી કરી છે.