હવે લગ્ન બાદ ખાવાનું કર્યું બરબાદ તો હવે તમારી પર ભારે દંડ ફટકારાશે. ખાવાનો બગાડ કરનાર હોટલો, રેસ્ટોરાં અને લગ્ન ઘરો પર હવે જલ્દીથી પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારાશે.
હોટલ, રેસ્ટોરાંથી લઇને લગ્નમાં જમવાનો બગાડ સામાન્ય છે. મોટાભાગના લોકોને એની જાણ નથી કે જે ખાવાનું બચ્યું હોય એનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરવાનો છે. હવે ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકકરણ (એફએસએસઆઇ)બચેલા ખાવાનાના ઉપયોગને લઇને એક રુલ લાવવાનો છે.
એફએસએસએઆઇએ એનો ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે. આ ડ્રાફ્ટને મંજૂરી માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને મોકલવામાં આવશે.
ગુણવત્તા પર નજર
કેટલાક બિનસરકારૂ સંગઠન હોટર રેસ્ટોરાં અને લગ્નના ઘરમાં બચેલું ખાવાનું ગરીબોમાં વહેંચવાનું કામ કરી રહ્યા છે. પરંતુ આ ખાવાની ગુણવત્તાને લઇને કોઇ માનક નથી. નવા ડ્રાફ્ટમાં આ મુદ્દા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.
નવી વ્યવસ્થઆ હેઠળ હોટલ, રેસ્ટોરાં અને લગ્નઘરોના સંચાલકોને એફએસએસઆઇની વેબસાઇટ પર નોંધણી કરાવવામાં આવશે. જમવાનું વહેંચવા માટે એનજીઓ અધિકૃત કરાવવામાં આવશે. આ ડ્રાફ્ટ અનુસાર તમામ રાજ્યોમાં ખાદ્ય આયુક્તિની અધ્યક્ષતામાં એક સમિતી બનશે. આ સમિતિ દાનમાં આપવામાં આવેલા ભોજનનું દેખરેખ કરશે અને વ્યવસ્થામાં સુધાર માટે સૂચન આપશે. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ અનુસાર દર વર્ષે કરોડ ટન ખાવાનું બરબાદ થાય છે.
જાણો શું હશે શરત
બચેલા ખાવાનામાં હાઇજિન અને સફાઇનું ખાસ ધ્યાન રાખવું પડશે. ખાવાનું પેકેજ્ડ હોય તો એની પર સાચું લેબલ હોવું જોઇએ.
ખાવા પર એક્સપાયરી ડેટ, શાકાહારી અથવા માંસાહારી જેવી જાણકારીઓ લખવી પડશે.
દાનકર્તા અને દાન આપનારી સંસ્થાના દરેક પેકના વિતરણનું રજિસ્ટર રાખવું ફરજિયાત હશે.
બચેલા ખાવાનાને સારી રીતે પેક કરીને સાત ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં રાખવું જરૂરી હશે.