કેન્દ્ર સરકાર એક નવો કાયદો લાવી રહી છે જેને લાગૂ થઇ ગયા બાદ વિવિઘ કંપનીઓમાં કામ કરનાર કર્મચારીની બલ્લે બલ્લે થવાની છે. શ્રમ મંત્રાલય આવતા મહિને આ બાબતે જાહેરાત કરી શકે છે.
કર્મચારીઓને નહીં રાખી શકે કોન્ટ્રાક્ટ પર
આવતા મહિનેથી કંપનીઓ એ કર્મચારીઓને કોન્ટ્રાક્ટ પર નહીં રાખી શકે જે ફુલ ટાઇમ કામ કરી રહ્યા છે. શ્રમ મંત્રાલયે આ વાત પર એક પ્રસ્તાવ તૈયાર કરી લીધો છો જેને કેબિનેટમાં મોહર લગાવવા માટે મોકલવામાં આવશે.
એક અધિકારીએ કહ્યું કે 'નિશ્વિત સમય માટે રોજગાર પર રાખવામાં આવેલા કર્મચારીઓની હિતોની સુરક્ષા માટે અમે કેટલાક ઉપાય કરશે. નવા કાયદા આવ્યા બાદ સૌથી પહેલા તો કંપનીઓને સ્થાયી કર્મચારીઓને નિશ્વિત સમય માટે રોજગાર પર રાખવામાં આવેલા કર્મચારીઓને છુટ્ટા કરતાં રોકવામાં આવશે.'
બજેટમાં નાણા મંત્રીએ કરી હતી જાણકારી
1 ફેબ્રુઆરીએ રજૂ કરેલા સામાન્ય બજેટમાં નાણા મંત્રી અરુણ જેટલીએ આ માટે જાહેરાત કરી હતી. RSS દ્વારા સમર્થિક ભારતીય મજૂર સંઘ નેશનલ ફ્રંટ ઓફ ઇન્ડિયન ટ્રેડ યૂનિયન્સ અને ટ્રેડ યૂનિયન કોઓર્ડિનેશન સેન્ટર જેવા કર્મચારી સંઘોને પણ નિશ્વિત સમય માટે રોજગારની વ્યવસ્થાની પહેલનું સમર્થન કર્યું.
કોન્ટ્રાક્ટ પર રાખેલા કર્મચારીઓને પણ મળશે આ સુવિધાઓ
જો કોઇ કંપની કોન્ટ્રાક્ટ પર પણ કર્મચારીઓને રાખએ છે તો પણ એમને એ સમય માટે દરેક પ્રકારની સુવિધાઓ જેમ કે PF ESI BONUS વગેરેનો લાભ આપવામાં આવશે. એની સાથે જ જો કાર્ય દરમિયાન કોઇ કર્મચારીની સાથે કોઇ દુર્ઘટના અથવા મૃત્યુ થઇ જાય છે તો કંપનીએ વળતર પણ ચુકવવું પડશે.