દેશમાં વધી રહેલા કોરોનાના કેસને જોતા કેન્દ્ર સરકારે કાર્યસ્થળ પર કોરોના વેક્સિનેશનને મંજૂરી આપી છે.
મોદી સરકારનો મહત્વનો નિર્ણય
વર્ક પ્લેસ પર આપવામાં આવશે કોરોનાની રસી
11 એપ્રિલથી શરૂ થશે વધુ એક અભિયાન
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ માટે તાબડતોબ તૈયારીઓ રહેવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. આ અભિયાનની શરૂઆત આગામી 11 એપ્રિલથી થઇ શકે છે. સ્વાસ્થ્ય સચિવે આ અંગે રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખ્યો છે.
In order to increase access of vaccines to these populations (45 yrs & above) #COVID19 vaccination sessions may be organised at workplaces (public&pvt) having about 100 eligible & willing beneficiaries by tagging these workplaces with existing an COVID vacciantion centre: Sources
આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે, 45 વર્ષથી ઉપરના લોકોની પુરતી સંખ્યા કોઇ અર્થવ્યવસ્થા કે, સંગઠન ક્ષેત્રમાં છે અને તે સરકારી કે ખાનગી કાર્યાલયમાં વિનિર્માણ અને સર્વિસ સેક્ટરમાં સેવાઓ આપી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા લખવામાં આવેલ પત્રમાં જણાવાયું છે કે, કાર્યસ્થળ પર જો 100 લોકો હશે તો ત્યાં જ વેક્સિનેશન સેન્ટર બનાવવામાં આવશે અને તમામને રસી આવશે.
Such work place vaccination centres may be launched across states/UTs from 11th April 2021: Sources
પત્ર અનુસાર, રાજ્ય સરકારો,કેન્દ્રશાસિત પ્રદેશોના સહયોગથી આ વાતનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે, રસીકરણ કાર્યક્રમ વધુને વધુ વ્યવહારીક અને લાભાર્થીઓ માટે ઉદેશ્યપૂર્ણ બનાવવામાં આવે છે. આ અભિયાનનો હેતુ રસીકરણ અભિયાનને વધુ વેગ આપવાનો છે.