આજે સાહસકથાઓ વધી છે. ઘણા શિક્ષિત યુવાનો પોતાના વતન જઈ તબેલો કરવાનું વિચારતા હોય છે. શિક્ષિત બેકારી વધી રહી છે સરકારી નોકરીઓ અને ખાનગી નોકરીઓ મળી નથી રહી ત્યારે જો તમે પણ ડેરી ફાર્મિંગ કરવાનું વિચારતા હોવ તો સરકાર તમને સબસિડી અને સહાય બંને આપે છે. રાહ કોની જુઓ છો જાણો કેવી રીતે કરશો અરજી.
50 લાખ સુધી સબસિડી આપે છે સરકાર
કોણ ખોલી શકે તબેલો
કેવી રીતે સરકારી સહાય મેળવી શકાય
ડેરી સાહસ વિકાસ યોજનાએ ભારત સરકાર પ્રાયોજિત યોજના છે જે ડેરી કે તેના સંબંધિત વેપાર કરનાર વ્યક્તિ કે સંગઠીત કે અસંગઠીત જૂથને નાણાંકિય મદદ કરે છે.આ યોજના 1લી સપ્ટેમબર 2010માં અમલમાં આવી.
ડેરી ફાર્મિંગ માટે નાબાર્ડમાં સબસિડી મેળવવાનું ફોર્મ ઓનલાઈન ડાઉનલોડ કરો
સોથી પહેલા નાબાર્ડની વેબસાઈટ ઉપર જાઓ https://www.nabard.org/#4thpage
ત્યારબાદ GOVT. SPONSORED SCHEMES ઉપર ક્લીક કરો
હવે Dairy Entrepreneurship Development Scheme ઉપર ક્લીક કરો
હવે તમને Links for download નો ઓપ્શન મળશે જેમાં Dairy Entrepreneurship Development Scheme ઉપર ક્લીક કરો એટલે PDF ફાઈલ ખુલશે
PDF ફાઈલમાં ફોર્મ હશે જે ડાઉનલોડ કરો.
ફોર્મ મુજબ તમારે તૈયારી કરવાના દસ્તાવેજો અને કાર્યો
નક્કી કરો કે તમે કઈ પ્રકારની વ્યવસાયિક પ્રવૃત્તિને સ્થાપિત કરવા જઈ રહ્યા છો જે ડેરી ફાર્મિંગને સંબંધિત છે. હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિ અથવા વ્યવસાય નમૂનો ઉપરોક્ત ઉલ્લેખિત પ્રકારોમાંથી એક હોઈ શકે છે.
કોઈ કંપની અથવા કોઈ અન્ય યોગ્ય વ્યવસાય અથવા એનજીઓના અસ્તિત્વની નોંધણી કરો.
બેંક ધિરાણ માટેની વિનંતી સહિત ડેરી તબેલા માટે વિગતવાર યોજના અહેવાલ અથવા વ્યવસાય યોજના તૈયાર કરો.
કોઈપણ વ્યાપારી બેંક અથવા પ્રાદેશિક ગ્રામીણ બેંક અથવા રાજ્ય સહકારી બેંક અથવા રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક અથવા અન્ય સંસ્થાઓ, જે નાબાર્ડ તરફથી પુનર્ધિરાણ માટે લાયક છે તે બેન્ક ધિરાણ માટે વિનંતી રજૂ કરો.
એકવાર બેંક ધિરાણ મંજૂર થઈ જાય, પ્રયોજકે તેના યોગદાન અને બેંક ધિરાણનો ઉપયોગ કરીને યોજનાને અમલમાં મૂકવો પડશે. ધિરાણ, વ્યાજ દર, કાર્યકાળ અને જામીનગીરીની જરૂરિયાત મંજૂર કરવાની સત્તા બેંકને આપવામાં આવે છે.
ધિરાણના પ્રથમ હપ્તાના ચૂકવણા પર, બેંકએ નાબાર્ડને મંજૂરી માટે અને ડેરી ફાર્મિંગ માટે નાબાર્ડ સબસિડીની છૂટ માટે અરજી કરવી પડશે.
નાબાર્ડ બેંકને સબસિડી આપશે. કોઈ વ્યાજ વિના સબસિડી ‘રિઝર્વ ફંડ એકાઉન્ટ’ તરીકે વર્ગીકૃત કરાયેલ ખાતામાં સબસિડી રાખશે.
પ્રયોજક દ્વારા ધિરાણના કરાર હેઠળ સંતોષકારક સેવા પર, રિઝર્વ ફંડ ખાતામાં સબસિડી રકમ બેંક ધિરાણની છેલ્લી કેટલીક ચુકવણીઓ સામે ગોઠવવામાં આવશે.
કેમ સબસિડી આપે છે સરકાર
સ્વચ્છ દૂધનું ઉત્પાદન થાય તે માટે સ્થપાનાર આધુનિક ડેરી ફાર્મને પ્રોત્સાહન આપવાનું
વાછરડું કે વાછરડીના ઉછેર અને સંરક્ષણના સારા જથ્થાને પ્રોત્સાહન આપવું
કોઇપણ ખેડૂત,વ્યક્તિગત સાહસિકો, એનજીઓ,કંપનીઓ, સંગઠીત કે અને અસંગઠીત જૂથ
યોજના ભંડોળ/ રોકાણની રીત
વ્યક્તિગત સાહસિકનું યોગદાન: કુલ મુડીરોકાણમાં ઓછામાં ઓછુ 10%
ભરપાઇ બાદ મળનારી સબસીડી: કુલ મુડી રોકાણની ટોચમર્યાદામાં જનરલ કેટેગરીના લાભાર્થીઓ માટે 25 % જ્યારે 33.33% SC/ST લાભાર્થીઓ માટે
દૂધ/ દૂધની બનાવટના કોલ્ડ સ્ટોરેજ માટે- રુપિયા 30 લાખ
બેંકની ભાગીદારી: સંતુલિત હિસ્સો- ઓછામાં ઓછો 40%
અમલીકરણ સંસ્થાઓ: પશુપાલન ડેરી ઉદ્યોગ અને મત્સ્ય વિભાગ, આ યોજનામાં ભારત સરકાર કેન્દ્રમાં રહે છે. NABARD આ યોજનાને વેપારી બેંકો, સહકારી બેંકો, SLDBs સ્થાનિક ગ્રામ્ય બેંકો થકી અમલી બનાવે છે
આલેખનઃ Gayatri Joshi