કોલ ડ્રોપની સમસ્યાના ઉકેલ માટે કેન્દ્ર સરકારે મોબાઈલ કંપનીઓને એક મોટી ચેતવણી આપી છે.
દેશમાં કોલ ડ્રોપ માથાના દુખાવારુપ સમસ્યા
સરકારે ટેલિકોમ કંપનીઓની સામે કરી લાલ આંખ
કોલ ડ્રોપની સમસ્યા ન ઉકેલી તો થશે લાઈસન્સ રદ
દેશમાં કોલ ડ્રોપ એક મોટી સમસ્યા બની રહી છે. આને પહોંચી વળવા માટે સરકાર ટેલિકોમ કંપનીઓ પર કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે લોકસભામાં કહ્યું કે કોલ ડ્રોપ એક ગંભીર સમસ્યા બની રહ્યા છે. સરકાર આ સમસ્યાને ગંભીરતાથી લઈ રહી છે.
4G mobile coverage provided to 98% of the population of India. This massive 4G roll- out has boosted economic activities across country, which has resulted in growth & creation of job opportunities: MoS Communications, Devusinh Chauhan in a written reply to question in Lok Sabha
કોલ ડ્રોપની સમસ્યાનું નિવારણ નહીં લાવનાર કંપનીનું લાઈસન્સ રદ થશે
તેમણે જણાવ્યું હતું કે કોલ ડ્રોપની સમસ્યાના નિવારણ માટે સરકાર દ્વારા લેવામાં આવનાર પ્રસ્તાવિત પગલાં અંગે આગામી સમયમાં વિચારણા કરવામાં આવશે. એવું પણ વિચારી શકાય કે જો ટેલિકોમ કંપનીઓ કોલ ડ્રોપની સમસ્યાનો ઉકેલ લાવવામાં નિષ્ફળ જશે તો તેમના લાઈસન્સ રદ કરવાની પણ સરકારની વિચારણા હેઠળ છે.
ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સની કામગીરી પર નજર
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ) આ કંપનીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા ત્રિમાસિક પ્રદર્શન મોનિટરિંગ રિપોર્ટ્સ (પીએમઆર)ના આધારે ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ (ટીએસપી) માટે ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સની કામગીરી પર નજર રાખી રહી છે.
કોલ ડ્રોપ એટલે શું?
જ્યારે તમારો ફોન કોઈ કારણસર સેલ્યુલર નેટવર્કથી ડિસ્કનેક્ટ થઈ જાય છે, ત્યારે કોલ ઘટી જાય છે. આ સામાન્ય રીતે નબળી સિગ્નલ ગુણવત્તાને કારણે થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો ઘણી વખત તમારા ફોનમાંથી નેટવર્ક અચાનક ગાયબ થઇ જાય છે અથવા તો તમારો કોલ ડિસ્કનેક્ટ થઇ જાય છે. આને કોલ ડ્રોપ કહે છે.