રક્ષા મંત્રાલયે મૃત રક્ષાકર્મીઓના પરિવારોન વધેલી સામાન્ય પારિવારિક પેન્શન (EOFP)ની મંજૂરી માટે ઓછામાં ઓછી સાત વર્ષની સતત સેવા આવશ્યતાને સમાપ્ત કરી દીધી છે. મંત્રાલય દ્વારા આપવામાં આવેલા એક નિવેદન મુજબ રક્ષાકર્મીઓન અંતિમ કુલ વેતનનું 50 ટકા EOFP હોય છે અને આ સેવામાં રહેતા જે કર્મીનું મૃત્યુંની તારીખથી 10 વર્ષ સુધી આપવામાં આવે છે.
નવો નિયમ 1 ઓક્ટોબર 2019થી લાગુ કરવામાં આવશે
કેન્દ્રીય મંત્રાલયના જણાવ્યાં અનુસાર EOFP મેળવવા માટે ઓછામાં ઓછા સત વર્ષની સતત સેવા આવશ્યકતાને હટાવી દીધી છે અને આ નિયમ 1 ઓક્ટોબર 2019થી લાગુ કરી દેવામાં આવ્યો છે.
જો કોઇ કર્મીની સેવાથી મુક્ત કરવામાં આવે, સેવાનિવૃત્ત, ડિસ્ચાર્જ અથવા ફરી અયોગ્ય કરાર કરાયાં બાદ મૃત્યું થાય છે તો EOFP મૃત્યું તિથિ અથા ફરી તેમની 67 વર્ષની ઉંમર પછી સાત વર્ષ સુધી EOFP આપવામાં આવે છે. આ નિયમ હેઠળ મૃત્યું અથવા 67 વર્ષની ઉમર જે પહેલાં હોય.
તે સિવાય, તે સશસ્ત્ર દળ કર્મીઓના પરિવાર પણ EOFP ના હકદર હશે જેમનું મૃત્યું 1 ઓક્ટોબર 2019 પહેલા 0 વર્ષની અંદર થયું હોય, ભલે તેમને સાત વર્ષની આવશ્યકતા સેવા પુરી ન કરી હોય.
અત્યારના નિયમ અનુસાર પરિવારજનોને EOPFની મંજૂરી માટે રક્ષા કર્મીની સાત વર્ષની સેવા પુરી કરવી ફરજિયાત હતી. EOPF કર્મીના કુલ છેલ્લા પગરના 50 ટકા હોય છે, જ્યારે સામાન્ય પારિવારિક પેંશન (OFP) કુલ અંતિમ વેતનના 30 ટકા હોય છે.