પેટ્રોલ અને ડીઝલની કિંમતોના કારણે આજે કોંગ્રેસે દેશભરમાં પ્રદર્શન કર્યું છે ત્યારે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ફરીવાર ઇંધણના ભાવ મુદ્દે મોદી સરકાર પર હુમલો કર્યો છે. તેમણે આરોપ લાગાવ્યો છે કે ઇંધણ પર 12 વખત એક્સાઈઝ ડ્યુટી વધારીને મોદી સરકારે 18 લાખ કરોડ રૂપિયા વસુલી લીધા છે.
લોકડાઉન બાદ મોદી સરકારે 22 વાર પેટ્રોલ ડીઝલની કિંમતોમાં વધારો કર્યો
સરકાર જનતાની મજબૂરીનો ફાયદો ઉઠાવી નફાખોરી કરે છે : સોનિયા ગાંધી
લોકડાઉન બાદ મોદી સરકારે 22 વાર પેટ્રોલ ડીઝલની કિંમતોમાં વધારો કર્યો
સોનિયા ગાંધીએ આરોપ લગાવ્યો છે કે એક તરફ કોરોના વાયરસ મહામારીનો કહેર અને બીજી તરફ પેટ્રોલ ડીઝલના ભાવના કારણે લોકોનું જીવવું મુશ્કેલ થઇ રહ્યું છે. આજે દેશનાં કેટલાક શહેરોમાં પેટ્રોલ ડીઝલની કિંમતો 80 રૂપિયાને પાર થઇ ગઈ છે. લોકડાઉન બાદ મોદી સરકારે 22 વાર પેટ્રોલ ડીઝલની કિંમતોમાં વધારો કર્યો.
સરકારે 12 વખત એક્સાઈઝ ડ્યુટી વધારી દીધી
સોનિયા ગાંધીએ કહ્યું કે પેટ્રોલના ભાવ તે સમયે વધારાવામાં આવી રહ્યા છે જ્યારે દુનિયામાં કાચા તેલની કિંમતો સાવ ઓછી છે. વર્ષ 2014માં મોદી સરકાર આવી પછી કાચા તેલની ઓછી કિંમતોનો ફાયદો જનતાને આપવાને બદલે સરકારે 12 વખત તો એક્સાઈઝ ડ્યુટી વધારી દીધી જેનાથી સરકારે અત્યાર સુધી 18 લાખ કરોડ રૂપિયા ખંખેરી લીધા.
સોનિયા ગાંધીએ કહ્યું કે સરકારની જવાબદારી છે કે મુશ્કેલ સમયમાં દેશવાસીઓનો સહારો બને અને તેમની મજબૂરીનો ફાયદો ઉઠાવીને નફાખોરી ન કરે. જનતા પાસેથી પૈસા ખંખેરીને સરકારનો નિર્ણય અન્યાયપૂર્ણ જ નહીં સંવેદનહિન પણ છે.
સોનિયા ગાંધીએ કહ્યું કે 'વધતી કિંમતોની સીધી અસર ખેડૂતો, ગરીબ અને મધ્યમ વર્ગને થશે. હું મોદી સરકારથી માંગણી કરું છું કે પેટ્રોલ ડીઝલની વધેલી કિંમતો પાછી લેવી જોઈએ અને એક્સાઈઝ ડ્યુટી ઘટાડવી જોઈએ.'