સરકારે ગુરુવારે કોરોના મહામારીના સંકટમાં ઉપયોગમાં લેવાનારી વસ્તુઓ જેમકે વેન્ટીલેટર, સર્જિકલ અને ફેસ માસ્ક, વ્યક્તિગત સુરક્ષા ઉપકરણો અને કોવિડ 19ની તપાસની કિટ પર કસ્ટમ ડ્યુટી અને સાથે જ આરોગ્ય સેસમાં પણ રાહત આપી છે.
સરકારે કરી મહામારીમાં મોટી જાહેરાત
સરકારે આપી આ વસ્તુઓ પર મોટી છૂટ
કસ્ટમ ડ્યુટી અને આરોગ્ય સેસમાં મળશે રાહત
સરકારના આ પગલાં પાછળનું કારણ દેશમાં આ સાધનોની ઉપલબ્ધતા વધારવાનું છે. મળતી માહિતી અનુસાર કોરોના વાયરસની હાલની સ્થિતિને જોતાં દેશમાં આ વેન્ટીલેટર્સ અને અન્ય સામગ્રીની જરૂરી ચીજો પર વિચાર કર્યા બાદ કેન્દ્ર સરકારે આ સામાન પર સ્વાસ્થ્ય વસ્તુઓને કસ્ટમ ડ્યૂટીમાંથી રાહત આપી છે.
Centre has granted exemption from Basic Customs Duty & Health cess, on the import of the following goods, with immediate effect - ventilators, Face masks, surgical masks, PPEs, #COVID19 test kits,inputs for their manufacture. Exemption available upto 30th Sept 2020: Govt of India pic.twitter.com/b5TtnWHmOx
આ સાથે જ આ પ્રકારના સામાનને બનાવવામાં જે સામગ્રી વપરાય છે તેની આયાત પર પણ આ છૂટ લાગૂ પડશે. એક નિવેદનના આધારે આ છૂટ આ વર્ષના 30 સપ્ટેમ્બર સુધી લાગુ પડશે.
દેશમાં આવી છે કોરોનાની સ્થિતિ
દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે કોરોનાની કુલ સંખ્યા 5709 થઈ છે. કુલ 503 કેસ સાજા થયા છે અને સાથે જ દેશમાં કુલ 199 લોકોના મોત થયા છે. દેશમાં મહારાષ્ટ્ર હૉટસ્પોટ બન્યું છે. અહીં 24 કલાકમાં 229 કેસ નોંધાતા હાહાકાર મચ્યો છે.