જમ્મૂ-કાશ્મીરને બે કેન્દ્ર શાસિત રાજ્યમાં વિભાજિત કર્યા બાદ સરકાર હવે દમણ-દીવ અને દાદરા-નગર હવેલીનો વિલય કરવા જઇ રહી છે. આ બે કેન્દ્રશાસિત પ્રદેશને એક કરીને ભેગા કરી દેવામાં આવશે. આજે લોકસભામાં આ અંગે બીલ રજૂ થશે.
દમણ-દીવ અને દાદરા-નગર હવેલીનો થશે વિલય
2 કેન્દ્રશાસિત પ્રદેશને એકમાં મર્જ કરી દેવાશે
આજે લોકસભામાં રજૂ થશે બીલ
દાદરા-નગર-હવેલીમાં એક જીલ્લો આવેલો છે. જયારે દમણ અને દીવમાં 2 જીલ્લા આવેલા છે. આ બંને પ્રદેશો 35 કીમી એકબીજાથી દૂર છે. વિલય બાદ વડુ મથક દમણ દીવમાં થઈ શકે છે. જેમાં આ દમણ-દીવ 72 ચોરસ કિલોમીટરના વિસ્તાર ધરાવે છે.
દમણ-દીવની વસ્તી 1 લાખ 51 હજાર છે. જયારે દાદર નગર હવેલીનું ક્ષેત્રફળ 491 સ્ક્વેર કિમી છે. જયારે દાદર નગર હવેલીની વસતી 5 લાખ 31 હજાર છે. દાદરા નગર હવેલીમાં 70 ગ્રામ પંચાયતો છે. આમ દેશમાં હાલ 9 કેન્દ્રશાશિત પ્રદેશો છે.
કેન્દ્ર સરકાર દ્વારા જમ્મૂ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કર્યા બાદ હવે અન્ય બે કેન્દ્ર શાસિત પ્રદેશને એકમાં મર્જ કરવાને લઇને આજરોજ લોકસભામાં બીલ રજૂ કરશે.
શુક્રવારના રોજ આ અંગેની જાણકારી કેન્દ્રીય મંત્રી અર્જૂન મેઘવાલે લોકસભામાં આપી હતી. અર્જૂન મેઘવાલે લોકસભામાં જણાવ્યું હતું કે સરકાર બે કેન્દ્ર શાસિત પ્રદેશ 'દમણ અને દીવ' અને દાદરા તેમજ નગર હવેલીનો વિલય કરી તેને એક કેન્દ્ર શાસિત પ્રદેશ કરવામાં આવશે.
આમ જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખને બે કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કર્યા બાદ દેશમાં હાલ 9 કેન્દ્ર શાસિત પ્રદેશે, જ્યારે હવે દમન અને દીવ અને દાદરા તેમજ નગર હવેલીના વિલય બાદ કેન્દ્ર શાસિત પ્રદેશની કુલ સંખ્યા 8 થઇ જશે.