આગામી માર્ચ સુધીમાં દેશના વધુ 13 એરપોર્ટનું ખાનગીકરણ કરવાનો મોદી સરકારે નિર્ણય કર્યો છે.
મોદી સરકારનો નિર્ણય
માર્ચ સુધીમાં 13 એરપોર્ટનું ખાનગીકરણ થશે
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેરમેન સંજીવ કુમારે કરી જાહેરાત
એર ઈન્ડિયાનો સોદો કર્યા બાદ સરકાર વધુ 13 એરપોર્ટનુ ખાનગીકરણ આગામી માર્ચ મહિના સુધીમાં કરવા માંગે છે.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેરમેન સંજીવ કુમારે જણાવ્યું કે અમે 13 એરપોર્ટની યાદી નાગરિક ઉડ્ડયન વિભાગને મોકલી આપી છે. જેના માટે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપના આધારે બોલી લગાવવામાં આવશે. આ કામગીરી માર્ચ મહિના સુધી પૂરી કરવાનુ ટાર્ગેટ છે.
50 વર્ષની અવધિ માટે એરપોર્ટની ઓફર કરાશે-ચેરમેન
ચેરમેન સંજીવ કુમારને કહ્યું છે કે, પર પેસેન્જર રેવેન્યૂ મોડેલ પ્રમાણે બોલી લગાવવામાં આવશે. આ મોડેલ પહેલા પણ સફળ થયેલુ છે. એરપોર્ટ 50 વર્ષ માટે આપવાની ઓફર કરવામાં આવશે.
આ 13 એરપોર્ટનું ખાનગીકરણ થશે
જે એરપોર્ટનુ ખાનગીકરણ કરવાનુ છે તેમાં વારાણસી, કુશીનગર, ગયા, અમૃતસર કાંગડા, ભુવનેશ્વર, તિરુપતિ, રાયુપર, ઔરંગાબાદ, ઈન્દોર, જબલપુર, ત્રિચી, હુબલીનો સમાવેશ થાય છે. આ એરપોર્ટનુ સંચાલન હાલમાં સરકારની એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા કરે છે.
આગામી ચાર વર્ષમાં 25 એરપોર્ટનુ ખાનગીકરણ કરવાની સરકારની યોજના
સરકારની યોજના આગામી ચાર વર્ષમાં 25 એરપોર્ટનુ ખાનગીકરણ કરવાની છે. જેમાં આ 13 એરપોર્ટ પણ સામેલ છે. આ પહેલા 2019માં 6 એરપોર્ટને ખાનગીકરણના ભાગરૂપે અદાણી ગ્રુપને આપવામાં આવ્યા છે. 2005-6માં દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, હૈદ્રાબાદ એરપોર્ટને પણ આ રીતે પ્રાઈવેટ કંપનીઓને અપાયા હતા.