2019 લોકસભા ચૂંટણીને હવે થોડા મહિના જ આડે છે. આમ લોકસભા ચૂંટણીને લઇને દેશની તમામ પાર્ટીઓએ કવાયત શરૂ કરી દીધી છે. જેમાં કેન્દ્રની મોદી સરકારે પણ ખેડૂતો માટે એક વિશેષ યોજના બનાવી હોય તેવા એક અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે.
કેન્દ્ર સરકાર એવા પ્લાન પર કામ કરી રહી છે જેમાં ખેડૂતોને તરત રાહત મળી શકશે. જેના માટે સરકાર ડાયરેકટ લાભ ટ્રાન્સફર યોજના પર વિચાર કરી રહી છે. હાલમાં આ પ્રકારની યોજના તેલંગાણા રાજ્યમાં ચાલી રહી છે.
સરકાર દ્વારા કરાયેલી એક સમીક્ષા બાદ એવુ તારણ સામે આવ્યું કે દેશના નાના અને મધ્યમવર્ગીય ખેડૂતો ડાયરેકટ લાભ ટ્રાન્સફર યોજનાનો અમલ કરવાથી બીજ ખાદ્ય કીટનાશક અને મજદૂરીની જરૂરિયાતોને પુરી કરી શકશે.
જો કે સૂત્રોને મળતી જાણકારી મુજબ આ પરિયોજના પાછળ અંદાજે 1.25 લાખ કરોડનો ખર્ચ થઇ શકે છે જેનો બોજો કેન્દ્ર તેમજ રાજ્ય સરકારે સંયુક્ત રીતે ઉપાડવો પડે. જો કે કેટલાક લોકોનું સુચન છે કે આ ભાર 70:30 હોવો જોઇએ.
જેમાં 70 ટકા કેન્દ્ર સરકાર ઉઠાવે જ્યારે 30 ટકા રાજ્ય સરકાર પર પડે. જો કે એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાં અનુસાર આ એક રાજકીય નિર્ણય છે. લોકસભા ચૂંટણી પહેલા આ યોજનાને લાગુ કરવી એક મોટો પડકાર છે.
જો કે દેશના વધારે રાજ્યોમાં ભાજપાની સરકાર હોય કેન્દ્રને મદદ મળી શકે છે. જો કે કોંગ્રેસ શાસિત રાજ્યની સરકાર પણ તેને મંજૂર કરે જેના કારણે ખેડૂતોના ગુસ્સાને શાંત કરી શકાય.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ નાણાં પ્રધાન અરૂણ જેટલી અને કૃષિ પ્રધાન રાધા મોહન સિંહ સાથે ખેડૂતોની સમસ્યાને લઇને વાતચીત કરી હતી.