સરકાર ખુલ્લી સિગરેટ વેચવા પર બૅન લગાવવાની તૈયારી કરી રહી છે. સર્વે અનુસાર 57 ટકા લોકો ખુલ્લી સિગરેટ ખરીદે છે.
સિગરેટ પીનારા થઈ જાઓ સાવધાન!
ખુલ્લી સિગરેટ વેચવા પર બૅન લગાવવાની તૈયારીમાં સરકાર
87 લોકો ટકા બૅનની વિરુદ્ધમાંઃ સર્વે
સિગરેટ અને તમ્બાકુ ઉત્પાદ પર કાયદામાં કરાઈ રહેલા ફેરફારમાં ખુલ્લી સિગરેટના વેચાણ અને સિગરેટ પીવાના નક્કી સ્થાનને લઈને સ્મોકર્સનો લભગ 87 ટકા વર્ગ સહમત નથી. એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે નોન કર્મશિયલ એંટિટીને લઈને દિલ્હી- એનસીઆર, મુંબઈ, ચેન્નઈ, બેંગલુરુ, કોલકત્તા, ગુવાહાટી અને વડોદરા સહિત 14 શહેરોમાં સર્વે કરાયો છે તેમાં 1,986 લોકોના વિચારો જાણવામાં આવ્યા છે.
87 ટકા સ્મોકર્સ બૅનની વિરુદ્ધમાં
એક સર્વેમાં જાણવા મળ્યું છે કે 78 ટકા લોકો 18-21 વર્ષના લોકો માટે તમ્બાકુના ઉત્પાદનનું સમર્થન કરી રહ્યા નથી. પબ્લિક રિસ્પોન્સ અગેન્સ્ટ હેલ્પલેસનેસ એન્ડ એક્શન ફોર રિડ્રેસલમાં કહેવાયું છે કે સર્વેમાં જાણવા મળ્યું છે કે 87 ટકા સ્મોકર્સ ખુલ્લી સિગરેટના વેચાણ પર બૅનનો વિરોધ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે તમ્બાકુની ખપત ઓછી કરવા માટે આ નિર્ણયથી ધૂમ્રપાન કરનારાઓને આખું પેકેટ ખરીદવામા મુસ્કેલી આવી શકે છે. તેનાથી હંમેશા તેમના હાથમાં સિગરેટ રહેશે. તેનાથી તેની ખપત પણ વધશે.
57 ટકા લોકો ખુલ્લી સિગરેટ ખરીદે છે
સર્વે અનુસાર 57 ટકા લોકો ખુલ્લી સિગરેટ ખરીદે છે, કેમકે તે તેમને મદદ કરે છે. ફક્ત 19 ટક લોકો છે જે ઓછા રૂપિયાના કારણે આ વિકલ્પ પસંદ કરે છે. તો 7 ટકા લોકોએ કહ્યું કે ખુલ્લી સિગરેટના વેચાણ પર પ્રતિબંધથી તેઓ સિગરેટ પી શકશે નહીં.
આ કાયદાથી હેતુ પૂરો થશે નહીં
આ સર્વે માટે પ્રહારના પ્રેસિડન્ટ અભય રાજ મિશ્રાએ કહ્યું છે કે આ પ્રસ્તાવ યોગ્ય નથી. આ તમ્બાકુના ઉપયોગને ઘટાડવાને બદલે બજારના સ્ટ્રક્ચરને ખરાબ કરી શકે છે. તેનાથી બિનકાયદેસર રીતે વેચાણમાં વધારો થશે. જો તમ્બાકુ જેવા પદાર્થ પર નિયંત્રણ કરવું છે તો સતત અવેરનેસ પ્રોગ્રામ ચલાવવાની જરૂર છે. COTPA Amendment Bill 2020ને મિનિસ્ટ્રી ઓફ હેલ્થની તરફથી રજૂ કરાયું છે જેનો હેતુ 21 વર્ષથી નીચેના બાળકોને સિગરેટના વેચાણ પર રોક લગાવવાનો અને સાથે ખુલ્લી સિગરેટના વેચાણ પર નિયંત્રણ મેળવવાનો છે.