કોરોના વાયરસના કારણે જાહેર કરવામાં લોકડાઉનમાં ભારતની અનેક કંપનીઓને નુકસાન થઇ રહ્યું છે. કંપનીની માર્કેટ વેલ્યુ ઘટી રહી છે ત્યારે આ અવસરનો લાભ ખાટી વિદેશની કંપનીઓ દેશની કંપનીઓમાં અધિગ્રહણ ન કરી લે તે માટે ભારત સરકારે FDI ના કાયદા કડક કરવાનો નિર્ણય લીધો છે.
લોકડાઉનના કારણે ઘટી રહી છે ભારતની કંપનીઓની માર્કેટ વેલ્યુ
ખતરાને જોતા ભારત સરકારે લીધો મોટો નિર્ણય
હવેથી ભારતમાં રોકાણ કર્યા પહેલાં લેવી પડશે મંજૂરી
શું છે ખતરો ?
નોંધનીય છે કે કોરોના વાયરસના કારણે ભારતમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. લોકડાઉનના કારણે દેશના અર્થતંત્રને ભારે નુકસાન થઇ રહ્યું છે. એવામાં કોરોના વાયરસના કારણે ભારતની મોટી કંપનીઓની માર્કેટ વેલ્યુ ઘટી ગઈ છે. એવામાં ઓપન માર્કેટની મદદથી ભારતની કંપનીઓના શેર ખરીદી મેનેજમેન્ટ કંટ્રોલ મેળવી શકાય તેમ છે. આ ખતરાને જોતા ભારત સરકારે હવે વિદેશથી થતાં રોકાણના નિયમોને કડક બનાવી દીધા છે.
નોંધનીય છે કે હાલમાં જ ચીનની સેન્ટ્રલ બેંક પીપલ્સ બેંક ઓફ ચાઈનાએ ભારતની HDFC કંપનીમાં 1.01 ટકા ભાગીદારી કરી લીધી છે.
હવે લેવી પડશે મંજૂરી
રોકાણ માટેના નિયમોમાં કરવામાં આવેલ ફેરફાર મુજબ હવે જે પાડોશી દેશોએ ભારતની કંપનીઓમાં રોકાણ કર્યા પહેલાં સરકારની પરવાનગી લેવી પડશે. નોંધનીય છે કે આવા જ પ્રતિબંધ પહેલાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ પર લગાવવામાં આવ્યા હતા.
Department for Promotion of Industry and Internal Trade દ્વારા નોટીસ જાહેર કરવામાં આવ્યું છે જે મુંજબ હાલની પરિસ્થિતિમાં અવસર જોઇને અધિગ્રહણના ખતરાને જોતા આ ખતરા પર અંકુશ લગાવવા માટે FDI પોલીસીમાં જ ફેરફાર કરી નાખ્યો છે.
આ દેશોએ પણ લીધો છે નિર્ણય
આ પહેલાં જર્મની, ઑસ્ટ્રેલિયા, સ્પેન અને ઈટલી જેવા દેશોએ આવા નિર્ણય લીધા હતા. ભારતના અ નિર્ણયના કારણે કોઈ પણ વિદેશી કંપની એ ભારતમાં રોકાણ કરવા માટે મેનેજમેન્ટ કંટ્રોલની મંજૂરી લેવી પડશે.