દેશભરમાં કોરોનાનો કહેર ફેલાઈ રહ્યો છે ત્યારે તેની સામે સતત કાર્યરત રહેનારા સ્વાસ્થ્યકર્મીઓ અને ડોક્ટર્સ પણ હવે કોરોનાનો શિકાર બની રહ્યા છે. આ વાતને લઈને હવે સરકારનું ટેન્શન વધ્યું છે. સરકારે આ કર્મચારીઓ માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કર્મચારીઓ ડ્યૂટી પર પીપીઈ કીટનો ઉપયોગ કરે.
હેલ્થ વર્કર્સમાં કોરોનાના કેસમાં થયો વધારો
હેલ્થ વર્કર્સમાં કોરોના આવતા વધી સરકારની ચિંતા
સ્વાસ્થ્ય મંત્રાલયે આ કર્મચારીઓ માટે જાહેર કરી ખાસ એડવાઈઝરી
જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવાયું છે કે હેલ્થ કેર ફેસિલિટી પોતાના હોસ્પિટલ ઈન્ફેક્શન કંટ્રોલ કમિટીને એક્ટીવેટ કરે જે સંક્રમણને રોકવાની અને નિયંત્રિત કરવાની પ્રક્રિયામાં અને સાથે જ કર્મચારીઓને માટે આઈપીસીની નિયમિત પ્રશિક્ષણ આયોજન માટે જવાબદાર છે.
Ministry of Health and Family Welfare has issued an advisory for managing health care workers working in COVID and Non-COVID areas of the hospitals. pic.twitter.com/OO364fK7HE
આ સાથે ચેપથી સંબંધિત તમામ બાબતો માટે નોડલ ઓફિસર (ચેપ નિયંત્રણ અધિકારી) ની નિમણૂક દરેક હોસ્પિટલ દ્વારા કરવી જોઈએ. સગર્ભા કે સ્તનપાન કરાવતી માતાઓ અને ઇમ્યુનો સંકુચિત આરોગ્ય કર્મચારીઓ તેમની તબીબી પરિસ્થિતિઓને હોસ્પિટલના અધિકારીઓને જાણ કરશે. જેથી તેઓ ફક્ત બિન-કોવિડ વિસ્તારોમાં જ કામ કરી શકશે. સરકારે કહ્યું છે કે ડોક્ટર્સ અને સ્વાસ્થ્યકર્મી ડ્યૂટી પર રહેતી સમયે પીપીઈનો ઉપયોગ કરવો.