એવા મૃત સરકારી કર્મચારીઓના બાળકો જેઓ માનસિક રીતે વિકલાંગ છે તેમણે પણ ફેમિલી પેન્શનનો લાભ મળશે.
પેન્શનને લઈને સરકારે જાહેર કર્યો નવો નિયમ
તમારા માટે જાણવો છે ખૂબ જરૂરી
જાણો તેના વિશે બધુ જ
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મહત્વના સમાચાર છે. ફેમિલી પેન્શનને લઈને સરકારે નવો નિયમ બહાર પાડ્યો છે. જાહેર કરાયેલા નિયમો અનુસાર મૃત સરકારી કર્મચારીઓના આવા બાળકો કે જેઓ માનસિક રીતે વિકલાંગ છે તેમને પણ ફેમિલી પેન્શનનો લાભ મળશે. માનસિક વિકારથી પીડાતા બાળકો પણ ફેમિલી પેન્શનના હકદાર છે.
મહત્વનું છે કે માનસિક વિકૃતિઓથી પીડિત બાળકોને કુટુંબ પેન્શન ન મળવાને કારણે તેમના ઉછેરમાં અને જીવન નિર્વાહમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે કારણ કે તેઓ પોતાની જાતનું ભરણ પોષણ કરવા શક્ષમ નથી. આ બાળકોને બીજા પર નિર્ભર રહેવું પડે છે.
કેન્દ્રીય મંત્રીએ આપી આ માહિતી
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું, 'પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગને લોકો સાથે વાતચીતમાં જાણવા મળ્યું છે કે બેંકો આવા બાળકોને ફેમિલી પેન્શનનો લાભ નથી આપી રહી. બેંકો આવા માનસિક વિકાર ધરાવતા બાળકોને પેન્શન આપવાનો ઈન્કાર કરી રહી છે.
બેંકો આ બાળકો પાસેથી કોર્ટ દ્વારા આપવામાં આવેલ ગાર્ડિયનશિપ સર્ટિફિકેટ માંગી રહી છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર સામાન્ય લોકોનું જીવન સરળ બનાવવાનો પ્રયાસ કરી રહી છે અને આ માટે સુશાસનના મંત્ર પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
ફેમિલી પેન્શનમાં નોમિનેશન જરૂરી
જિતેન્દ્ર સિંહે કહ્યું કે, 'આવી સ્થિતિમાં લોકોને મદદ કરવા માટે પરિવાર પેન્શનમાં નોમિનેશનની જોગવાઈ જરૂરી બનાવવામાં આવી રહી છે જેથી કર્મચારીઓના બાળકોને કોઈપણ મુશ્કેલી વિના પેન્શન મળી શકે.
માનસિક વિકારથી પીડિત બાળકો પણ કોર્ટમાંથી ગાર્ડિયનશિપનું સર્ટિફિકેટ સરળતાથી મેળવી શકે છે. તે પણ સરળ બનાવવામાં આવ્યું છે. મૃતક સરકારી કર્મચારીના બાળકોને કોર્ટમાંથી પ્રમાણપત્ર આપવું પડે છે. જેના આધારે ફેમિલી પેન્શન આપવામાં આવે છે. બેંકો આવા બાળકો પાસેથી ગાર્ડિયનશીપ સર્ટિફિકેટનો આગ્રહ રાખી શકતી નથી અને તે આધાર પર પેન્શનનો ઇનકાર કરી શકતી નથી.
સર્ટિફિકેટ વિના પણ આપવું પડશે પેન્શન
આ જાહેરાત પછી, જો કોઈપણ બેંક કોર્ટ દ્વારા જારી કરાયેલ ગાર્ડિયનશિપ સર્ટિફિકેટ વિના માનસિક વિકૃતિઓથી પીડિત બાળકોને કુટુંબ પેન્શન આપવાનો ઇનકાર કરે છે. તો તે સેન્ટ્રલ સિવિલ સર્વિસ (પેન્શન) નિયમો, 2021 ની વૈધાનિક જોગવાઈઓનું ઉલ્લંઘન કરશે.
એટલે કે આવી સ્થિતિમાં બેંક સામે કાર્યવાહી કરવામાં આવશે. જો માનસિક વિકારથી પીડિત બાળક તેના માતા-પિતાની પેન્શન યોજનામાં નોમિની ન હોય અને તેની પાસેથી કોર્ટનું પ્રમાણપત્ર માંગવામાં આવે તો તે પેન્શનના હેતુની વિરુદ્ધ હશે.
બેન્કોને આપવામાં આવ્યો આ આદેશ
આ જાહેરાત બાદ સરકાર દ્વારા તમામ પેન્શન વિતરણ કરતી બેંકોના મેનેજિંગ ડિરેક્ટરોને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. સરકારે મેનેજરોને તેમના સેન્ટ્રલાઇઝ્ડ પેન્શન પ્રોસેસિંગ સેન્ટર, પેન્શન પેઇંગ બ્રાન્ચને સૂચના આપવા જણાવ્યું છે કે જેથી માનસિક રીતે અશક્ત બાળકોને ફેમિલી પેન્શનનો લાભ મળે.
આ પેન્શન તે બાળકોને નોમિની દ્વારા આપવામાં આવશે. આ એક વૈધાનિક જોગવાઈ છે જેને કોઈ સંસ્થા નકારી શકે નહીં. બેંકો આવા બાળકો માટે કોર્ટનું ગાર્ડિયનશિપ સર્ટિફિકેટ માંગી શકે નહીં.