શક્ય છે કે આવનારા સમયમાં સરકાર LPG સિલિન્ડર પર મળતી સબ્સિડીને ખતમ કરી શકે.
LPG Subsidy ને લઈને મોટા સમાચાર
સરકાર કરી રહી છે આ તૈયારી
શક્ય છે ખતમ કરી દેવામાં આવે સિલિન્ડરની સબ્સિડી
આજકાલ એક ખબર ચર્ચામાં છે કે LPG પર મળનારી સબ્સિડીને સરકાર ખતમ કરી શકે છે. નાણામંત્રીએ વર્ષ 2022 માટે પેટ્રોલિયમ Subsidy ને ઘટાડીને 12,995 કરોડ રૂપિયા કરી છે. બજેટમાં તેઓએ ઉજ્જવલા સ્કીમમાં 1 કરોડ લાભાર્થીને જોડ્યા. સરકારને લાગે છે કે જો LPG સિલિન્ડરના ભાવ વધારાશે તો કેન્દ્ર ઉપરથી સબ્સિડીનો બોજ ઘટી શકે છે.
સતત વધી રહી છે ગેસ સિલિન્ડરની કિંમતો
આ પહેલાં પણ જોઈએ તો 2019માં LPG ની કિંમતો વધારી દેવાઈ હતી. પેટ્રોલમાં કરાયેલા વધારાથી આ કિંમત ઓછી હતી. આવું આ વર્ષે પણ થઈ શકે છે LPG સિલિન્ડરના ભાવ રીટેલ વેન્ડર્સ વધારી શકે છે. એક રિપોર્ટ અનુસાર સરકાર સબ્સિડીને ખતમ કરવાની તૈયારી કરી રહી છે. આ કારણ છે કેરોસીન અને LPG ના ભાવ સતત વધી રહ્યા છે.
નાણા મંત્રાલયે પણ કર્યો હતો ઈશારો
15મા નાણા આયોગના રિપોર્ટમાં કહેવાયું છે કે પેટ્રોલિયમમ સબ્સિડીના કારણે રાજસ્વ વર્શ 2011-12ના 9.1 ટકાના આધારે ઘટીને વર્ષ 2018-19માં 1.6 ટકા થયું હતું. જીડીપીના આધારે તે 0.8થી ઘટીને 0.1 ટકા થઈ ગયું હતું. આ સમયે કેરોસીન સબ્સિડી જે 2011-12માં 28215 કરોડ રૂપિયા હતી તે 2020-21ના બજેટના અનુમાન માટે ઘટાડીને 3659 કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે.
ઉજ્જવલા સ્કીમથી વધી શકે છે બોજ
મળતી માહિતી અનુસાર નાણા આયોગે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે ઉજ્જવલા સ્કીમથી LPG સબ્સિડીનો બોજ વધી શકે છે. જો સરકાર સબ્સિડી સ્કીમને ગરીબો સુધી સીમિત રાખે છે તો સબ્સિડી સિલિન્ડરની સંખ્યાને કૈપ કરીને બોજ ઘટાડી શકાય છે.
સીધી એકાઉન્ટમાં મળે છે સબ્સિડીની રકમ
LPG સિલિન્ડરની કિંમતો આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક અને રૂપિયા ડોલર એક્સચેન્જ રેટ પર નક્કી કરાય છે. સરકાર સબ્સિડીના રૂપિયા સીધા લાભાર્થીના એકાઉન્ટમાં મોકલે છે.
શું છે ઉજ્જવલા સ્કીમ
ભારત સરકારે આ સ્કીમ 1 મે 2016માં લોન્ચ કરી હતી. તેમાં ગરીબી રેખાથી નીચેના પરિવારોને એલપીજી કનેક્શન માટે 1600 રૂપિયા આપવામાં આવે છે.