કેન્દ્રીય કર્મચારીઓ બાદ હવે મોદી સરકારે નાની બચતના રોકાણકારોને પણ તહેવારોની ભેટ આપતા કેટલીક બચત યોજનાના વ્યાજ દરમાં વધારો કર્યો છે.
નાની બચતના રોકાણકારોને બખ્ખાં
પાંચ બચત યોજનાના વ્યાજદરમાં વધારો
સરકારે કર્યો 30 બેસિસ પોઈન્ટનો વધારો
સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ પર 7.4 ટકાને બદલે 7.6 ટકા વ્યાજ
પોસ્ટ ઓફિસોમાં 3 વર્ષની ડિપોઝીટ પર 5.5 ટકાને બદલે 5.8 ટકા વ્યાજ
કેન્દ્ર સરકારે નાની બચતના રોકાણકારોને તહેવારોની ભેટ આપી છે. સરકારે પાંચ પ્રકારની નાની બચત યોજનાના વ્યાજ દરમાં 30 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. કિસાન વિકાસ પત્ર, સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ અને બે તથા ત્રણ વર્ષની ટાઈમ ડિપોઝીટના પર વ્યાજ દરમાં વધારો કરાયો છે. નવો વધારો 1 ઓક્ટોબરથી લાગુ પડશે.
Govt hikes interest rate by up to 30 basis points in some small savings schemes for Q3: Notification
નાની બચતની પાંચ યોજનાઓ પર મળશે 30 બેસિસ પોઈન્ટ વધુ વ્યાજ
પાંચ પ્રકારની નાની બચત યોજનાના રોકાણકારોને તેમની થાપણો પર 30 બેસિસ પોઈન્ટ વધારે વ્યાજ મળશે.
કઈ યોજના પર કેટલો વધારો
પોસ્ટ ઓફિસોમાં 3 વર્ષની ડિપોઝીટ પર 5.5 ટકાને બદલે 5.8 ટકા વ્યાજ મળશે
સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ પર 7.4 ટકાને બદલે 7.6 ટકા વ્યાજ મળશે
કિસાન ક્રેડિટ કાર્ડનો સમયગાળો અને વ્યાજદર બન્નેમાં વધારો કરાયો છે
ખેડૂત વિકાસ પત્રમાં મોટો ફેરફાર
સરકારે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટના વ્યાજ દરોને યથાવત રાખ્યાં છે અને તેની પર 6.8 ટકા પહેલાની જેમ વ્યાજ મળતું રહેશે. આ રીતે પબ્લિક પ્રોવિડન્ટ ફંડના દરમાં પણ કોઈ ફેરફાર કરાયો નથી અને તેને 7.1 ટકાએ યથાવત રખાયા છે. સરકારે કિસાન વિકાસપત્રમાં મામૂલી ફેરફાર કર્યો છે અને તેના વ્યાજ દરને 6.9 ટકાથી વધારીને 7 ટકા કર્યો છે. જોકે સૌથી મોટો ફાયદો એ છે કે 7 ટકાવાળા ખેડૂત વિકાસ પત્રની મેચ્યુરિટી 123 મહિના કરી દેવાઈ છે ડે પહેલા 124 મહિના હતો.
PPF, સુકન્યા યોજના પર ન વધ્યું વ્યાજ
નાણાં મંત્રાલયે ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટર માટે પીપીએફ, સુકન્યા સમૃદ્ધિ યોજના, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમના વ્યાજદરમાં કોઈ વધારો કર્યો નથી. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ)માં 7.1 ટકા, એનએસસી એટલે કે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં 6.8 ટકા, સુકન્યા સમૃદ્ધિ યોજનાને 7.6 ટકા રકમ મળતી રહેશે. પોસ્ટ ઓફિસ સેવિંગ્સ ડિપોઝિટ એકાઉન્ટ પર 4 ટકા વ્યાજ દરમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તો 5 વર્ષની રિકરિંગ ડિપોઝિટ પર પણ 5.8 ટકા વ્યાજ યથાવત રાખવામાં આવ્યું છે.
અગાઉના બે ત્રિમાસિકમાં કોઈ વધારો કરાયો નહોતો
સરકાર દ્વારા દર ત્રણ મહિને નાની બચત યોજનાના વ્યાજદરમાં સુધારા-વધારા કરવામાં આવતા હોય છે. અગાઉના બે ત્રિમાસિક ગાળામાં નાની બચત યોજનાના વ્યાજદરોને યથાવત રાખવામાં આવ્યાં હતા પરંતુ ત્રીજા ત્રિમાસિકમાં વધારો કરવામાં આવ્યો છે.
સરકારે ધીરાણ ટાર્ગેટ 10,000 કરોડ ઘટાડ્યો
તે ઉપરાંત સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં ધીરાણ ટાર્ગેટમાં પણ 10,000 કરોડનો ઘટાડો કર્યો છે એટલે કે હવે સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં 5.92 લાખ કરોડનું ધીરાણ લેશે.
સરકાર 16,000 કરોડના સોવરિન ગ્રીન બોન્ડ બહાર પાડશે
નાણા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં એવું જણાવાયું કે સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં 16,000 કરોડના સોવરિન ગ્રીન બોન્ડ બહાર પાડશે.