અનેક અફવાઓ વચ્ચે સરકારે ફરી એક વખત સ્પષ્ટ કર્યું છે કે રૂ.2000ની ચલણી નોટો બંધ કરવાની સરકારની કોઈ યોજના નથી. સરકારે લોકસભામાં જણાવ્યું હતું કે નોટબંધી પહેલા ચાલુ કરવામાં આવેલી રૂ.2000ના દરની નોટો બંધ કરવાનો સરકારનો કોઈ વિચાર નથી.
સરકારે એ પણ જણાવ્યું કે ટ્રાયલ તરીકે સરકારે પાંચ શહેરો કોચી જયપુર શિમલા મૈસૂર અને ભુવનેશ્વમાં રૂ.10ની પ્લાસ્ટિક કરંસી ચલણમાં મૂકવાનો નિર્ણય લીધો છે. આ ટ્રાયલ ક્યારથી શરૂ કરાશે તેના અંગે હજુ સુધી કોઈ સમયગાળો નિર્ધારિત કરાયો નથી.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રના રાજ્ય કક્ષાના નાણાંપ્રધાન પી.રાધાકૃષ્ણને એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે નજીકના ભવિષ્યમાં ચાલુ ચલણી નોટો બંધ કરવાની સરકારની કોઈ પ્રકારની યોજના નથી.
અને એટલે જ રૂ. 500 અને રૂ. 2000ની નોટોની સરળ ઓળખ માટે બંને નોટોમાં કદમાં 10 MMનું અંતર રાખવામાં આવેલ છે. વર્તમાન કેન્દ્ર સરકારે કાળાનાણાં પર રોક લગાવવા તેમજ ડિજિટલ કરન્સીને પ્રોત્સાહન આપવા માટે નવમી નવેમ્બર રૂ. 500 અને રૂ. 1000ની ચલણી નોટો પાછી ખેંચી લીધી હતી.
આ સાથે પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે હાલ તો પાંચ શહેરોમાં પ્રાયોગિક ધોરણે રૂ. 10ની પ્લાસ્ટિકની નોટોનો આરંભ કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવેલ છે.
આ પાંચ શહેરોમાં કોચી મૈસુર જયપુર સિમલા અને ભુવનેશ્વરનો સમાવેશ થાય છે.આપને જણાવી દઇએ કે આ અમલ ક્યારથી કરવામાં આવશે તે અંગે કોઇ ચોક્કસ જાણકારી આપવામાં આવી નથી.