રાજ્યમાં કોરોનાએ કહેર વરસાવ્યો છે અને મોટાભાગના વેપાર-ધંધાને મોટો આર્થિક ફટકો પડ્યો છે. ત્યારે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.
સિનેમાઘરો અને મલ્ટીપ્લેક્સને રાહત
એક વર્ષ માટે પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ
જીમ્નેશીયમને પણ રાહત અપાઇ
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી કોરકમિટીની બેઠકમાં ગુજરાતમાં સિનેમા ઘરો- મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
CM રૂપાણીએ લીધો મોટો નિર્ણય
કોરકમિટીમાં લેવાયેલા આ નિર્ણય અનુસાર રાજ્યમાં તારીખ 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષ ના સમય માટે સિનેમા ઘરો- મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, કોર કમિટીમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, આવા સિનેમા ઘરો- મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને વીજબીલમાં ફિક્સચાર્જમાંથી મુક્તિ આપી ખરેખર વીજ વપરાશ થયો હોય તેના પર જ વીજ બીલ આકારી ચાર્જ વસૂલ કરવામાં આવશે.
સિનેમા ઘરો-મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને આપી આર્થિક રાહત
કોરોના સંક્રમણના આ કાળમાં મુખ્યમંત્રીએ રાજ્યના સિનેમા ઘરો-મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને આ નિર્ણયથી મોટી આર્થિક રાહત આપી છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 695 નવા કેસ નોંધાયા તો 11 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા, નવા કેસની સામે આજે ગુજરાતમાં 2,122 દર્દીઓ સાજા થયાં. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 695 નવા કેસ નોંધાયા છે, તો 11 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે. આજે ફરી એક વખત ગુજરાતમાં, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા આજેપણ સાજા થનારનો આંકડો વધુ છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 9,955 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 2,122 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 7,93,028 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ પણ ઘટ્યા અને સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 351 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 14,724 પર પહોંચ્યો છે. આમ દિવસેને દિવસે એક્ટિવ કેસના આંકમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે.
અત્યાર સુધીમાં 1,86,55,846 લોકોને અપાઇ રસી
સારા સમાચાર એ છે કે, અત્યાર સુધીમાં 1,86,55,846 લોકોનું કુલ રસીકરણ થઈ ગયું છે. તો આજે 2,58,797 લોકોને વેક્સિન આપવામાં આવી છે.
સુરત અને અમદાવાદમાં કોરોના સંક્રમણ ઘટ્યું
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં આજે કોરોનાના 108 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 5 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 79 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 30 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં આજે 99 કેસ, જ્યારે ગ્રામ્યમાં 41 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 32 કેસ અને ગ્રામ્યમાં 19 કેસ નોંધાયા છે.