જો તમે અત્યાર સુધી આધારને પાન કાર્ડ સાથે લિંક કર્યું નથી તો તમારા માટે એક સારા સમાચાર છે. સરકારે એકવાર ફરી આધાર અને પાન કાર્ડને જોડવાની તારીખની ડેડલાઇન વધારી દીધી છે. સરકારની ડેડલાઇન મુજબ હવે આ 31 માર્ચ 2021 સુધીમાં કરી શકશો.
ઉલ્લેખનીય છે કે અગાઉ સરકાર દ્વારા પાન કાર્ડ અને આધારને જોડવાની અંતિમ તારીખ 30 જૂન 2020 એટલે કે આ મહિનાના અંત સુધીમાં કરવાની ફરજિયાત હતી. જો કે એકવાર ફરી સરકારે આ સમયગાળો વધારી દીધો છે.
આ પહેલી વખત નથી કે જ્યારે સરકારે આધાર અને પાનકાર્ડને લિંક કરવાની ડેડલાઇન વધારી હોય. આ અગાઉ ઘણી વખત સરકારે તારીખના સમયગાળામાં વધારો કર્યો છે.
જ્યારે કેન્દ્રીય પ્રત્યક્ષ ટેક્સ બોર્ડ (CBDT) પણ ઘણી વખત પાનકાર્ડ હોલ્ડર્સને આધાર સાથે લિંક કરવાની અપીલ કરી ચૂક્યું છે. જો સમય પહેલા આ કામ પુરુ કરવામાં નહીં આવે તો પાન કાર્ડ રદ્દ માનવામાં આવશે.
આ છે પાનકાર્ડ-આધાર લિંક કરવાની રીત
સૌથી પહેલા ઇનકમ ટેક્સની વેબસાઇટ incometaxindiaefiling.gov.in પર જવાનું રહેશે.
અહીં ડાબી તરફ આધાર લિંક કરવાનો વિકલ્પ જોવા મળશે.
ત્યાર બાદ નવું પેજ ખુલશે, જેની સૌથી ઉપર લાલ કલરમાં લખ્યું છે Click here.
જો તમે અગાઉન પાનકાર્ડ અને આધાર લિંક કર્યું હશે તો તેનું સ્ટેટ્સ અહીં ક્લિક કરી વેરિફાઇ કરી શકો છો.
જો લિંક નહીં કર્યું હોયતો Click her ની નીચે આપવામાં આવેલ બોક્સમાં પાન, આધાર નંબર અને પોતાનું નામ અને આપવામાં આવેલ કેપ્ચર નાંખવાનું રહેશે.
ત્યાર બાદ Link Aadhar પર ક્લિક કરવાનું રહેશે. આ સાથે જ લિંકિંગનું કામ પુર્ણ થઇ જશે.
આ સાતે 567678 અથવા 56161 પર SMS કરી આધારને પેન સાથેના લિંકના સ્ટેટસની જાણકારી મેળવી શકો છો.
ઉદાહરણ રૂપ સમજીએ તો UIDPAN (સ્પેસ) < 12 આંકડાનો આધાર નંબર> (સ્પેસ) <10 આંકડાનો પાન નંબર> ટાઇપ કરી SMS કરવાનો રહેશે.