કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે પેટ્રોલિયમ ક્ષેત્રે મોટો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં પેટ્રોલ ટ્રાન્સપોર્ટ માર્કેટિંગ માર્ગદર્શિકામાં ફેરફારને મંજૂરી આપવામાં આવી છે. એટલે કે, સરકારે પેટ્રોલ રિટેલિંગના નિયમોને વધુ સરળ બનાવ્યા છે.