કોને સસ્તા પેટ્રોલ અને ડીઝલ આપવા માટે મોદી સરકારે એક મોટો નિર્ણય લઈ લીધો છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લાગેલી આગ ઠારવા મોટો નિર્ણય
મોદી સરકારે ઈથેનોલ પર જીએસટી ઘટાડ્યો
ઈથનોલ પરનો 28 ટકા જીએસટી ઘટાડીને 5 ટકા કર્યો
ઈથનોલનો ઉપયોગ પેટ્રોલમાં થાય છે
આનાથી પેટ્રોલ સસ્તુ થશે
દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લાગેલી આગ ઠારવા માટે મોદી સરકારે એક નિર્ણય લીધો છે. સરકારે ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ પ્રોગ્રામ હેઠળ ઈથેનોલ પર જીએસટી રેટને 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે પેટ્રોલમાં ઈથેનોલ ભેળવવામાં આવે છે.
Government lowers GST rate to 5% from 18% on ethanol meant for blending under the Ethanol Blended Petrol (EBP) programme
પેટ્રોલમાં ઈથેનોલ ભેળવીને વેચે છે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ
સરકારના ઈથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ પ્રોગ્રામ હેઠળ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલમાં 10 ટકા ઈથેનોલ ભેળવીને વેચે છે. આ પ્રોગ્રામ આંદોમાન અને નિકોબારને બાદ કરતા સમગ્ર ભારતભરમાં લાગુ પડાયો છે.
ઈથેનોલ પર 13 ટકા જીએસટી ઘટતા શું થશે
પહેલા કેન્દ્ર સરકારે ઈથેનોલ પર 18 ટકા જીએસટી વસૂલતી હતી પરંતુ હવે તેની પરના જીએસટીને 5 ટકા કરી દેવાયો છે આ રીતે 13 ટકાનો ઘટાડો થયો છે. ઈથેનોલ પરનો જીએસટી ઘટતા તે સસ્તું થશે અને આ રીતે સસ્તુ ઈથેનોલ મિક્સ કરવામાં આવતા પેટ્રોલના ભાવ આપોઆપ ઘટી જશે.