કેન્દ્ર સરકારે નેશનલ પેન્શન સ્કીમ (NPS)માં પોતાના યોગદાન 10%થી વધારીને 14% કરવાનો નિર્ણય કર્યો છે. જે આગામી વિત્ત વર્ષ (2019-20)થી લાગૂ થયા પછી કર્મચારીઓ માટે ન્યૂનતમ યોગદાન 10% જ રહેશે. વિત્ત મંત્રી અરૂણ જેટલીએ સોમવારે આ અંગેની જાણકારી આપી હતી. આ નિર્ણયથી 36 લાખ કર્મચારીઓને ફાયદો થશે.
રિટાયરમેન્ટના સમયે કર્મચારી NPSની 60% રકમ લઈ લેશે તો તેમને ટેક્સ પણ નહી ચૂકવવો પડે. એટલે કે સંપૂર્ણ રકમ ટેકસ ફ્રી હશે. કારણ કે 40% રકમ એન્યુટિમાં જાય છે. રકમ પરત લેવા પર પણ ટેકસ છૂટ તમામ કેટેગરીના કર્મચારીઓને મળશે.
વિત્તમંત્રીએ જણાવ્યુ કે NPSમાં સરકારનું યોગદન વધતા વિત્ત વર્ષ 2019-20માં 2840 કરોડ રૂપિયાની અતિરિક્ત ભાર પડશે. NPSએ EEE (એક્ઝેમ્પ્ટ-એક્ઝેમ્પ્ટ-એક્ઝેમ્પ્ટ) કેટેગરીમાં લાવવાની માંગ લાંબા સમયથી કરવામાં આવી રહી હતી.
શું છે NPS:
આ એક સરકારી પેન્શન યોજના છે. જાન્યુઆરી 2004માં આ સરકારી કર્મચારીઓ માટે શરૂ કરી હતી. જોકે 2009માં તેને તમામ માટે ખોલવામાં આવી હતી. કર્મચારીઓ પોતાની સર્વિસ ચાલુ હોય તે દરમિયાન NPS ખાતામાં યોગદાન આપે છે. રિટાયરમેન્ટના સમયે તે 60% રકમ નીકાળી શકે છે. બાકીની 40% રકમ એન્યુટિ સ્કીમમાં લગાવી શકે છે. જેનાથી રિટાયરમેન્ટ બાદ નિયમિત આવક થતી રહે.