કોરોના સંકટમાં દેશની અર્થવ્યવસ્થામાં પ્રાણ પૂરવા માટે કેન્દ્ર સરકારે મે 2020માં જ લગભગ 20 લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ જાહેર કર્યું હતુ અને તેનું નામ આત્મનિર્ભર ભારત પેકેજ રખાયું હતું. આ જાહેરાત બજેટથી એકદમ અલગ હતી.
આજે નાણામંત્રી ખોલશે ખજાનો
પીએમ મોદી પહેલાં જ આપી ચૂક્યા છે આ સોગાત
મે 2020માં 20 લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ જાહેર કર્યું હતુ
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. કોરોનાની માર સહન કરી ચૂકેલા અનેક સેક્ટરને આ વખતે બજેટથી મોટી આશાઓ છે. બજેટ પહેલાંથી સરકારે કોરોના સંકટમાં અનેક નિર્ણયો લીધા છે. જે ખાસ કરીને બજેટમાં લેવાય છે. આ સમયે પણ પીએમ મોદી પહેલેથી જ અનેક ભેટ આપી ચૂક્યા છે.
Delhi: Finance Minister Nirmala Sitharaman will present and read out the #UnionBudget 2021-22 at the Parliament through a tab, instead of the traditional 'bahi khata'. pic.twitter.com/Ir5qZYz2gy
કોરોના સંકટના સમયે ઈકોનોમીમાં પ્રાણ પૂરવા માટે કેન્દ્ર સરકારે મે 2020માં લગભગ 20 લાખ કરોડનું આર્થિક પેકેજ જાહેર કર્યું હતું અને તેને આત્મિર્ભર ભારત પેકેજ નામ અપાયું હતું. આ સમયે જે જાહેરાત કરાઈ હતી તે બજેટથી અલગ હતી. આર્થિક પેકેજની જાહેરાત કરતાં નાણામંત્રીએ કહ્યું હતું કે આ આર્થિક પેકેજ કોરોના મહામારીથી બહાર આવવામાં દેશની મદદ કરશે, સાથે ભારતને આત્મનિર્ભર બનવામાં સહયોગ કરશે. આ પછી સરકારે અનેક મોટી જાહેરાતો કરી છે.
આત્મનિર્ભર ભારત પેકેજમાં આ કંપનીઓને મળી હતી મદદ
આત્મનિર્ભર ભારત પેકેજમાં જિસ્કોમ એટલે કે વિજળી વિતરણ કંપનીઓી મદદ માટે ઈમરજન્સી લિક્વિડિટી 90,000 કરોડ રૂપિયા રખઆઈ. નોન બેંકિંગ ફાયનાન્સ કંપની, માઈક્રો ફાયનાન્સ કંપનીઓ માટે 30,000 કરોડની વિશેષ લિક્વિડિટી સ્કીમ લાવવામાં આવી હતી. સરકારનું કહેવું છે કે તેનાથી કંપનીઓેને નાણાંકીય સંકટ નહીં રહે.
આત્મનિર્ભર ભારત પેકેજમાં થઈ હતી આ જાહેરાત પણ
પહેલાથી ચાલી રહેલી યોજનાઓનો વિસ્તાર કરવા એનબીએફસીને 45000 કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરાઈ હતા. આંશિક ગેરેંટી યોજનાનો વિસ્તાર, તેમાં ડબલ એ કે તેનાથી ઓછા રેટિંગના એબીએફસીને પણ ઉધાર મળશે. આ સિવાય કોલ, ડિફેન્સ, મિનરલ, સિવિલ એવિએશન, સ્પેસ, પાવર સેક્ટર માટે મોટા રિફોર્મની જાહેરાત થઈ હતી.
એમએસએમઈ સેક્ટરની પરિભાષા બદલાઈ
એમએસએમઈ એટલે કે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગની પરિભાષા બદલાઈ છે. તેમાં રોકાણની લિમિટમાં ફેરફાર કરાયો છે. 1 કરોડ રૂપિયાનું રોકાણ કે 10 કરોડનું ટર્નઓવર પર સૂક્ષ્મ ઉદ્યોગનો દરજ્જો અપાશે. આ રીતે 10 કરોડનું રોકાણ કે 50 કરોડ ટર્નઓવર પર લઘુ ઇદ્યોગનો દરજ્જો અપાશે. 20 કરોડના રોકાણ કે 100 કરોડ ટર્નઓવર પર મધ્યમ ઉદ્યોગનો દરજ્જો મળશે. નાણામંત્રીએ કહ્યું કે હાલમાં ટ્રેડ ફેયર શક્ય નથી.
ગયા વર્ષની મોટી જાહેરાતો
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજના આધારે 1,92,800 કરોડ રૂપિયા અપાયા.
આત્મિર્ભર ભારત અભિયાનના આધારે 1.0ના આધારે 11,02,650 કરોડ રૂપિયાની જાહેરાત.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અન્ન યોજનાના આધારે 82,911 કરોડ રૂપિયાની જાહેરાત.
આત્મનિર્ભર ભારત અભિયાન 2.0ના આધારે 73,000 કરોડ રૂપિયાની જાહેરાત
અર્જુન નિર્મલ ભારત અભિયાન 3.0ના ાધારે 2,65,080 કરોડ રૂપિયાની જાહેરાત.
આરબીઆઈ મેઝર્સના આધારે 12,71,200 કરોડ રૂપિયાની જાહેરાત.
આ રીતે કુલ 29,87,641 કરોડ રૂપિયાની જાહેરાત થઈ ચૂકી છે.
આત્મનિર્ભર ભારત પેકેજની જાહેરાત પહેલાં પીએમ મોદીએ કહ્યું હતું કે 20 લાખ કરોડ રૂપિયાના પેકેજ 2020માં દેશની વિકાસ યાત્રાને આત્મનિર્ભર ભારત અભિયાનને નવી ગતિ આપશે. આ પેકેજ ભારતના જીડીપીનો લગભગ 10 ટકા છે. 20 લાખ કરોડનું પેકેજ 2020-21ના સ્વીકૃત બજેટ એટલે કે 30 લાખ કરોડથી વઘારે લગભગ 10 લાખ કરોડ ઓછા છે.