1 મેથી 18 વર્ષથી ઉપરના તમામ લોકોનું રસીકરણ થવા જઈ રહ્યું છે એટલે તે સમયે રસીના સેંકડો ડોઝની જરુર પડશે. મીડિયા રિપોર્ટ અનુસાર, સિરમ ઈન્સ્ટીટ્યુટ અને ભારત ટેકનોટેકની કોરોના વેક્સિનની કિંમત ઘણી લાગતી હોવાથી સરકારે તેમને કિંમતો ઘટાડવાનું જણાવ્યું છે.
કેબિનેટ સેક્રેટરીએ વેક્સિન કંપનીઓને કર્યો આદેશ
કેબિનેટ સેક્રેટરી રાજીવ ગૌબા દ્વારા બોલાવાયેલી બેઠકમાં વેક્સિનની કિંમતોના મુદ્દે ચર્ચા થઈ હતી. રાજ્યોને પણ કોરોનાની વેક્સિનની કિંમત ઘણી વધારે લાગી હતી. રાજ્યો સાથેના પ્રતિનિધિઓની વાતચીત બાદ કેબિનેટ સેક્રેટરીએ બન્ને કંપનીઓને આ ઓર્ડર આપ્યો હતો.
શું છે બન્ને કંપનીઓની વેક્સિનની કિંમત
હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકે કંપનીએ રાજ્ય સરકારો માટે રુ.600 અને પ્રાઈવેટ હોસ્પિટલો માટે રુ.1200 કોવેક્સિનના એક ડોઝની કિંમત નક્કી કરી છે. તો પૂણે સ્થિત સિરમ ઈન્સ્ટીટ્યુટે કોવિશિલ્ડના એક ડોઝની કિંમત ર.400 તથા રાજ્ય સરકારો માટે રુ. 600 નક્કી કરી છે.
કેન્દ્ર સરકારના આદેશ બાદ બન્ને કંપનીઓ વેક્સિનની કિંમત ઘટાડે તેવી શક્યતા
કેન્દ્ર સરકારના આદેશ બાદ બન્ને કંપનીઓ વેક્સિનની કિંમત ઘટાડે તેવી શક્યતા છે. કેન્દ્ર સરકારને તો બન્ને રસી એક ડોઝ દીઠ રુ.150 માં પડે છે. ઘણા રાજ્યોએ રસીની અલગ અલગ કિંમતનો વિરોધ કર્યો છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે આ સમય નફાખોરી કરવાનો નથી. ટોચના નિષ્ણાંત અને નીતિ આયોગના મેમ્બર ડો.વીકે પૌલે જણાવ્યું કે હવે ઘરમાં પણ માસ્ક પહેરી રાખવું જરુરી છે અને તેમાંય જ્યારે કોઈ પોઝિટીવ હોય ત્યારે તો ખાસ.દેશમાં સતત છઠ્ઠા દિવસે 3 લાખથી વધારે કેસ આવ્યા છે. આના કારણે કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 1 કરોડ 73 લાખ 4 હજાર 308 પર પહોંચી ગઈ છે. જ્યારે મૃતકોની સંખ્યા 1 લાખ 95 હજાર 116 પર પહોંચી ગઈ છે.