મોદી સરકારે સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડીયા અને ભારત બાયોટેકને રસી બનાવવા માટે 4500 કરોડની સહાય આપી છે.
સિરમ ઈન્સ્ટીટ્યુટને મળશે 3000 કરોડ
ભારત બાયોટેકને મળશે 1500 કરોડ
બન્ને કંપનીઓ રસીનું ઉત્પાદન વધારશે
અદાર પૂનાવાલાએ સરકાર પાસેથી માંગી હતી 3000 કરોડની સહાય
4500 કરોડમાંથી સિરમ ઈન્સ્ટીટ્યુટને ઓફ ઈન્ડીયાને 3000 કરોડ અને ભારત બાયોટેકને 1500 કરોડની રકમ મળશે.
કેન્દ્રીય નાણા મંત્રાલયના ટોચના સૂત્રોએ જણાવ્યું કે કેન્દ્ર સરકારે સિરમ ઈન્સ્ટીટ્યુટને 3000 કરોડ અને ભારત બાયોટેકને 1500 કરોડની રકમ આપવાનો તાત્કાલિક નિર્ણય કર્યો છે.
નાણા મંત્રાલયની મંજૂરી મળ્યા બાદ આરોગ્ય મંત્રાલય બન્ને કંપનીઓને ફાળવાયેલી રકમ આપશે. આ પહેલા કેન્દ્ર સરકારે ભારત બાયોટેકને 65 કરોડની સહાય આપી ચૂકી છે. ભારત બાયોટેક કોવેક્સિન બનાવી રહી છે.
સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડીયાના સીઈઓ અદાર પૂનાવાલાએ મોદી સરકાર પાસે એક મહિનામાં 100 મિલિયન કરતા પણ વધારે ડોઝના ઉત્પાદન માટે 3000 કરોડની સહાય માંગી હતી.
એક્ટિવ કેસ 19 લાખને પાર
સંક્રમણના મામલામાં સતત 39 માં દિવસે વૃદ્ધિ થઈ છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 19 લાખને પાર થઈ ગઈ છે. હાલમાં કુલ એક્ટિવ દર્દીની સંખ્યા 19,23,877 છે. જે કુવ એક્ટિવ કેસની સંખ્યાના 12.76 ટકા છે.
સાજા થનારાનો દર ઘટીને 86 ટકા થયો છે.
કોરોનાથી સાજા થનારાનો દર ઘટીને 86 ટકા રહી ગયો છે. આંકડા મુજબ આ બિમારીથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા વધીને 1,29,48,848 થઈ છે. અને મૃત્યુ દર ઘટીને 1.20 ટકા થયો છે.
82 ટકા મોત ફક્ત આ 8 રાજ્યોમાં
દેશમાં 24 કલાકમાં સૌથી વધુ 503 લોકોના મોત મહારાષ્ટ્રમાં થયા છે. આ બાદ દિલ્હીમાં 161, છત્તીસગઠમાં 170, યુપીમાં 127, ગુજરાતમાં 110, કર્ણાટકામાં 81,પંજાબમાં 68 અને મધ્ય પ્રદેશમાં 66 લોકોના મોત થયા છે. આ 8 રાજ્યોમાં કુલ 1286 મોત થયા છે. જે 1570 મોતના 81.9 ટકા છે.