ટેલિકોમ વિભાગ (ડોટ)એ દેશની સૌથી મોટી મોબાઇલ ટાવર કંપની ઇન્ડસ ટાવર્સના ભારતી ઇન્ફ્રાટેલ સાથેના મર્જરને મંજૂરી આપી દીધી છે. સત્તાવાર સૂત્રોએ આ અંગે મહત્ત્વની જાણકારી આપી છે. આ મર્જર બાદ રચાનારી સંયુકત કંપની પાસે દેશભરમાં 1,63,000થી વધુ ટેલિકોમ્યુનિકેશન ટાવર થઇ જશે. જેનું સંચાલન તમામ 22 ટેલિકોમ સેવા ક્ષેત્રમાં થઇ રહ્યું છે.
આ મર્જર બાદ રચાનારી સંયુકત કંપની પાસે દેશભરમાં 1,63,000થી વધુ ટેલિકોમ્યુનિકેશન ટાવર થઇ જશે
આ સંયુકત કંપનીનું નામ બદલીને હવે ઇન્ડસ ટાવર્સ લિમિટેડ રાખવામાં આવશે
મર્જર બાદ જે આ મર્જર બાદ રચાનારી સંયુકત કંપની પાસે દેશભરમાં 1,63,000થી વધુ ટેલિકોમ્યુનિકેશન ટાવર થઇ જશે
આ સંયુકત કંપનીનું નામ બદલીને હવે ઇન્ડસ ટાવર્સ લિમિટેડ રાખવામાં આવશે અને હવે આ કંપની ઘરેલુ શેરબજારમાં પોતાનું લિસ્ટિંગ જારી રાખશે. આ કંપની પાસે ભારતી ઇન્ફ્રાટેલ અને ઇન્ડસ ટાવર્સના બિઝનેસની સંપૂર્ણ માલિકી રહેશે. આ ડીલ સમયસર સંપન્ન થાય તે ઘણું જ મહત્ત્વપૂર્ણ છે. કારણ કે તેનાથી ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયા માટે કંપનીમાં પોતાનો સ્ટેક વેચીને નાણાં એકત્ર કરવાનો વિકલ્પ ખુલશે. આમ આ ડીલથી વોડાફોન-આઇડિયા (Vodafone-Idea) અને એરટેલ (Airtel) બંનેને ફાયદો થશે.
ઇન્ડસ ટાવર્સમાં અત્યારે ભારતી ઇન્ફ્રાટેલ અને વોડાફોન ગ્રૂપની 42-42 ટકા ભાગીદારી છે. તેમાં વોડાફોન-આઇડિયાની પણ 11.15 ટકા ભાગીદારી છે. ભારતી ઇન્ફ્રાટેલમાં એરટેલની મોટી ભાગીદારી છે. એવું માનવામાં આવે છે કે વોડાફોન-આઈડિયા આ ડીલથી રૂ.4500 કરોડ એકત્ર કરી શકશે.
આ રકમનો ઉપયોગ કંપની એજીઆરનું બાકી પેમેન્ટ કરવામાં કરશે. કંપની પાસેથી રૂ.52,000 કરોડ એજીઆર પેટે બાકી નીકળે છે. 2018માં થયેલ ડીલ અનુસાર નવી કંપનીમાં શેર વેચીને વોડાફોન-આઇડિયા તેમાંથી બહાર નીકળી જશે.